રાજકોટમાં 7 જાન્યુઆરીએ ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચ રમાશે

રાજકોટમાં 7 જાન્યુઆરીએ ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચ રમાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટરસિકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. આવતાં મહિને 7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મુકાબલાની જમાવટ થનાર હોવાનું જાણવા મળ્યું છે. આવતાં મહિને રમાનારી આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગ્રાઉન્ડની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં રાજકોટનું ગ્રાઉન્ડ પસંદગી પામ્યું છે.

તડામાર તૈયારીઓ શરૂ
એકંદરે છ મહિનાની અંદર જ રાજકોટને બીજા T-20 મુકાબલાનું યજમાનપદ મળ્યું છે. બીજી બાજુ શ્રીલંકાની ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA) ઉપર પહેલીવાર T-20 મુકાબલો રમવા ઉતરશે. આ માટે એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શ્રીલંકાની ટીમ SCAના ગ્રાઉન્ડ પર પહેલીવાર રમશે
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શ્રીલંકાની ટીમ આવતાં મહિને ભારતના પ્રવાસે શ્રેણી રમવા માટે આવી રહી છે જેમાં T-20 સહિતની મેચ સામેલ છે. આ શ્રેણીની એક મેચ રાજકોટના સ્ટેડિયમ ઉપર રમાશે. શ્રીલંકાની ટીમ આમ તો રાજકોટમાં મેચ રમી ચૂકી છે પરંતુ તે તમામ મુકાબલા રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર રમાયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ પહેલીવાર નવા ગ્રાઉન્ડ ઉપર ભારત સામે ટક્કર લેશે. આમ શ્રીલંકા રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ બનશે.

આ પૂર્વે ભારત-આફ્રિકા વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 17 જૂને રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે રોમાંચક T-20 મુકાબલો રમાયો હતો જેને ભારતે સરળતાથી જીતી લીધો હતો. આ પહેલાં બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ સહિતની ટીમો પણ રાજકોટમાં ટીમ ઈન્ડિયા સામે T-20 મેચ રમી ચૂકી છે જેમાં બાંગ્લાદેશ-ઑસ્ટ્રેલિયા પરાજિત થઈ છે તો ન્યુઝીલેન્ડની ટીમે રાજકોટમાં જીત મેળવી છે. બીજી બાજુ છ મહિનાની અંદર જ રાજકોટને બીજી T-20 મેચ મળતાં ક્રિકેટરસિકોના આનંદનો પાર રહ્યો નથી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow