એરપોર્ટના ટોઇલેટના ફ્લશમાંથી સ્વીપરને સોનાના 6 બિસ્કિટ મળ્યાં

એરપોર્ટના ટોઇલેટના ફ્લશમાંથી સ્વીપરને સોનાના 6 બિસ્કિટ મળ્યાં

એરપોર્ટ પર વધી રહેલી સોનાની દાણચોરી વચ્ચે સાફસફાઇનું કામ કરતા સામાન્ય કર્મચારીને ટોઇલેટના ફ્લશમાંથી છ સોનાના બિસ્કીટ મળતા તેન કસ્ટમ્સને સુપરત કરી ફરજ પ્રત્યેની ઇમાનદારી નિભાવી હતી. એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ કર્મચારીને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટોઇલેટમાં ગયેલા એક પેસેન્જરથી ફ્લશ ચાલુ ન થતાં ત્યાં કામ કરી રહેલા સફાઈ કર્મચારી જિતેન્દ્ર સોલંકીને ફરિયાદ કરી હતી. જેના આધારે જિતેન્દ્રએ ટોઇલેટનો ફ્લશ ચેક કરતા દિવાલનો ફ્લશ દબાતો ન હતો. જેથી આ ફ્લશની પ્લેટ ખુલ્લી હોવાથી તેને ચેક કરતા તેમાં કંઈ વજનદાર વસ્તુ હોવાનું જણાયું હતું. જેથી ચેક કરતાં કાળી સેલોટેપમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ જોઈને જિતેન્દ્ર સીધો જ સુપરવાઇઝર પાસે પહોંચ્યાે હતો.

ત્યાંથી તે બંને જણા સોનાના બિસ્કિટ લઈ કસ્ટમના અધિકારીઓ પાસે પહોંચ્યા હતા. તેમણે સેલોટેપ કાઢીને ચેક કરતાં 116 ગ્રામના એક એવા છ બિસ્કિટ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 696 ગ્રામ થતું હતું. જ્યારે તે સોનાની કિંમત રૂ.39 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.જિતેન્દ્રએ જણાવ્યું કે ‘ઇમિગ્રેશન પહેલા આવેલા જેન્ટસ ટોઇલેટમાંથી સોનું મળ્યું તે પહેલાં જ કુવૈતની ફલાઇટ આવી હતી. જેના કોઈ પેસેન્જરે સોનું છુપાવ્યું હોવાની આશંકા છે.’ એરપોર્ટના ટોઇલેટમાંથી અઠવાડિયામાં બીજી વખત સોનું મળ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow