બજારમાં રોકડમાં સતત ઘટાડો

બજારમાં રોકડમાં સતત ઘટાડો

RBI દ્વારા 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદ બજારમાં રોકડનો જથ્થો સતત ઘટી રહ્યો છે. RBIના જણાવ્યા અનુસાર 2 જૂન સુધી લોકો પાસે કુલ રોકડ 83,242 કરોડ રૂપિયા ઘટીને 32.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

બેંકો પાસે રોકડ થાપણોમાં જંગી વધારો
2 જૂનના રોજ પૂરા થતા પખવાડિયામાં બેંક ડિપોઝીટની રકમ રૂ. 3.26 લાખ કરોડ વધીને રૂ. 187.02 લાખ કરોડે પહોંચી છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, 19 મે, 2023 ના રોજ પૂરા થતા છેલ્લા પખવાડિયામાં બેંક ડિપોઝિટની રકમ 59,623 કરોડ રૂપિયા ઘટીને 183.74 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

રૂ. 2,000ની 50% નોટો પરત આવી - RBI ગવર્નર
RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 જૂને કહ્યું હતું કે 1.8 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો સિસ્ટમમાં પાછી આવી છે. તેમણે કહ્યું હતું કે આ નોટો કુલ સર્ક્યુલેશનના લગભગ 50% છે.

19 મેના રોજ નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતી વખતે, આરબીઆઈએ કહ્યું હતું કે 31 માર્ચ સુધીમાં 2,000 રૂપિયાની નોટોની કુલ કિંમત 3.62 લાખ કરોડ રૂપિયા હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow