રાજકોટમાં મવડી ઓવરબ્રિજની દીવાલ સાથે સ્કૂટર અથડાયું,યુવતીનું મોત

રાજકોટમાં મવડી ઓવરબ્રિજની દીવાલ સાથે સ્કૂટર અથડાયું,યુવતીનું મોત

શહેરમાં મવડી ઓવરબ્રિજ પર રવિવારે બપોરે ડબલસવારી સ્કૂટર બ્રિજની દીવાલ સાથે અથડાતા સ્કૂટરમાં પાછળ બેઠેલી કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું હતું જ્યારે તેની સહેલીને ઇજા થઇ હતી. બંને સહેલી ફિલ્મ જોવા જઇ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો.

ગોંડલ રોડ પરના તિરુપતિ બાલાજીપાર્કમાં રહેતી કૃષિ મહેશભાઇ કાકડિયા (ઉ.વ.18) અને હરિ ઘવા રોડ પરના મહેશ્વરીનગરમાં રહેતી ખુશીબા વિજયસિંહ રાણા (ઉ.વ.17) રવિવારે બપોરે સ્કૂટર પર બેસીને ફિલ્મ જોવા જવા નીકળી હતી. બંને સહેલી 150 ફૂટ રિંગ રોડ પર મવડી ઓવરબ્રિજ પર પહોંચી હતી ત્યારે સ્કૂટરચાલક ખુશીબા રાણાએ કોઇ કારણસર કાબૂ ગુમાવ્યો હતો અને સ્કૂટર બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માતમાં બંને સહેલી સ્કૂટર પરથી ફંગોળાઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને બંને યુવતીને હોસ્પિટલમાં ખસેડી હતી. જેમાંથી ગંભીર રીતે ઘવાયેલી કૃષિ કાકડિયાનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના જમાદાર ઘનશ્યામસિંહ સહિતની ટીમ દોડી ગઇ હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow