મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ કર્ણાટકના 865 ગામ પર દાવો કર્યો

મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ કર્ણાટકના 865 ગામ પર દાવો કર્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની દરમિયાનગીરી પછી પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સરહદ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. કર્ણાટક વિધાનસભા પછી હવે મહારાષ્ટ્ર વિધાનસભા અને પરિષદે કર્ણાટકના 865 મરાઠીભાષી ગામ અને બેલગવાી સહિત કેટલાક શહેરોને તેમના રાજ્યમાં ભેળી દેવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

આ પ્રસ્તાવમાં કારવાર, નિપાની, બિદર અને ભલકી શહેરના નામ પણ છે. આ મામલો ગરમાયા પછી ગૃહ મંત્રીએ બંને રાજ્ય વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારે બંને રાજ્યે કહ્યું હતું કે, આ વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું. કર્ણાટકમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન અહીં રાજકીય પક્ષો સરહદ વિવાદનો લાભ ખાટવા તેમજ તે વિવાદથી થતા નુકસાનથી બચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

આગામી વર્ષે કર્ણાટકની ચૂંટણી સુધી મામલો વધુ ભડકે તેવી શક્યતા
મહારાષ્ટ્રના બંને ગૃહમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રસ્તાવ રજૂ કરતા કર્ણાટક સરકાર પર આરોપ મૂક્યો હતો કે, ‘કર્ણાટકે વિધાનસભામાં જાણીજોઇને આ મુદ્દે પ્રસ્તાવ પસાર કરીને વિવાદ ભડકાવ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં આ મુદ્દે વધુ વિવાદ નહીં કરવા માટે પણ બંને રાજ્ય સંમત થયા હતા, પરંતુ કર્ણાટકે તેનો પણ ભંગ કર્યો છે.’ ગયા અઠવાડિયે કર્ણાટક વિધાનસભાએ પ્રસ્તાવ પસાર કરીને એક ઇંચ જમીન પણ પાડોશી રાજ્યને નહીં આપવાનો સંકલ્પ કર્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow