પેરુમાં રનવે પર પેસેન્જર પ્લેન ટ્રક સાથે અથડાયું

પેરુમાં રનવે પર પેસેન્જર પ્લેન ટ્રક સાથે અથડાયું

પેરુમાં રનવે પર ફાયર વિભાગની એક ટ્રક વિમાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ મુસાફરોથી ભરેલા પ્લેનમાં આગ લાગી ગઈ હતી. સદનસીબે, વિમાનમાં સવાર તમામ 102 મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ભયાનક દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ અકસ્માત પેરુના જોર્જ ચાવેઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો. LATAM એરલાઈન્સની ફ્લાઈટ અહીંથી ટેકઓફ કરી રહી હતી. ત્યારબાદ રનવે પર સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. ફ્લાઇટમાં 102 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. તેમાંથી કોઈને ઈજા થઈ નથી. જોકે ટ્રકમાં સવાર 2 ફાયર ફાઈટરના મોત થયા હતા.

એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું - દુર્ઘટના બાદ એરપોર્ટની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તાત્કાલિક કાર્યવાહી કરીને અમે તમામ મુસાફરોને સલામત સ્થળે પહોંચાડ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow