પાણી વ્યવસ્થાપન મુદ્દે નવી નીતિ જરૂરી

પાણી વ્યવસ્થાપન મુદ્દે નવી નીતિ  જરૂરી

ગાંધીધામને હાલ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્ક્ટચર લિમિટેડ દ્વારા 35 એમએલડી પાણી પુરવઠો રોજ ફાળવવામાં આવે છે. જેની સામે ઓલમોસ્ટ ડબલ પુરવઠાની માંગ પાલિકા કરતી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અધધધ..રુપે વધેલા પાણી સપ્લાય કરવાના હિસાબ અંગેનો પ્રશ્ન અલગ રૂપે મુખ્યમંત્રી સમક્ષ ઉડાવવામાં આવ્યો હતો.

ગાંધીધામ શહેરની સ્થાપના થઈ ત્યારે જુજ લોકોની વસ્તી અહીં હતી, ત્યારે લોકોના જીવન માટે જરૂરી એવી પાણી સપ્લાયની સુવિધા પૂર્ણ કરવા માટે હાલ પણ સરકારને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે ગાંધીધામના સાપેક્ષમાં વાત કરતા હાલ દૈનિક ધોરણે 35 એમએલડી પાણીનો સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આવશ્યકતા વધવાથી પરિણામ સ્વરૂપ લોકોને ને વધુ સ્પલાય આપવાની વારંવાર સબંધિત વિભાગને જાણ કર્યા બાદ પણ હજ સુધી એ અંગે કોઇ ગંભીર ગતિવિધી તેજ થતી જોવા મળતી નથી.

દૈનિક ધોરણે 35 એમએલડી પાણીનો સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું
અગાઉ પાણી પુરવઠા બોર્ડ નગરપાલિકાઓને પાણી આપતું હતું, જેમાં આંશિક પરિવર્તન ગત વર્ષ કરાયા બાદ ગત કેટલાક વર્ષોથી ગુજરાત વોટર ઈન્ફ્ર્સ્ટ્રકચર લિમિટેડ દ્વારા શહેરભરને પાણી પુરુ પાડી રહ્યું છે. ગાંધીધામના વધતા વ્યાપ્ત અને વધી રહેલા માળખાને ધ્યાને રાખીને 70 એમએલડીની માંગ સામે રખાઈ હતી. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્ક્ટચર લીમીટેડ (જીડબ્યુઆઈએલ) દ્વારા પાણી સપ્લાય સામે નગરપાલિકાઓ પાસેથી પ્રતિ એક હજાર લીટર10 રુપિયા લેવામાં આવે છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં આ આંકડો માત્ર 2 રૂપીયાનો છે. આવીજ રીતે કોમર્શીયલ કે ખાનગી પાણી જોડાણમાં આજ આંકડો વધીને 56 થઈ જાય છે.

આંકડો 1 અબજ સુધી પહોંચી ગયો છે
તાજેતરમાં મુખ્યમંત્રી સમક્ષ યોજાયેલી બેઠકમાં પાણી પુરવઠા માટે જે બીલ ફાળવાય છે તે સમયની માંગ અને વર્તમાન સામાજિક, ભૌગોલિક પરિસ્થિતિઓ અંગે ધ્યાન દોરીને પ્રજાજનોને પાણી આપતી પાલિકાઓના લેવાતા પ્રતિ એક હજાર લિટર 10 રુપીયાને ઘટાડવા રજૂઆત કરાઈ હતી. નોંધવું રહ્યું કે ગાંધીધામ નગરપાલિકા દ્વારા જ પાણી સપ્લાયનો જે તે વિભાગને આપવાનો આંકડો 1 અબજ સુધી પહોંચી ગયો છે. જોકે, તે સરકાર હસ્તકની બાબત હોવાથી તેને તે સ્તરેજ લેવાનો સુર ઉઠવા પામ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow