દાહોદથી મજૂરી માટે જતી માતા કોઇ પણ સ્થળેથી રસીકરણ કરાવી શકશે

દાહોદથી મજૂરી માટે જતી માતા કોઇ પણ સ્થળેથી રસીકરણ કરાવી શકશે

દાહોદ જિલ્લામાં સ્થળાંતરનું પ્રમાણ ઘણું મોટુ છે. બાળકના જન્મ બાદ તેને સાથે લઇને પરગામોમાં જવાની મજબુરી હોવાથી અહીંની માતા અને તેના બાળકોને રસીકરણ સહિતની બાબતો માટે ખુબ જ પરેશાની વેઠવી પડતી હતી. જોકે, કેટલીક માતા અને બાળકોનું પુરૂ રસીકરણ પણ થતુ ન હતું.

દેશમાં 8 ઓગસ્ટથી મિશન ઇન્દ્રધનુષનો પ્રારંભ થશે
​​​​​​​ત્યારે હવે માતા અને બાળકનું દેશના કોઇ પણ ખુણેથી રસીકરણ શક્ય બનશે. દેશમાં 8 ઓગસ્ટથી મિશન ઇન્દ્રધનુષનો પ્રારંભ થશે. તેમાં સગર્ભા માતાઓ અને 5 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. પહેલાં મિશનમાં 2 વર્ષ સુધીના બાળકો કવર થતં હતા, આ વખતે મિશન ઇન્દ્રઘનુષની સૌથી ખાસ વાત એ રહેશે કે રસીકરણ યૂવીન પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે.

દેશના 65 જિલ્લાઓમાં ટેસ્ટિંગ માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ​​​​​​​
આ પોર્ટલને નિયમિત રસીકરણ માટે તૈયાર કરવામાં આવ્યુ છે. જાન્યુઆરીમાં દેશના 65 જિલ્લાઓમાં ટેસ્ટિંગ માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. દાહોદ આ જિલ્લાઓમાં શામેલ હતો અને આ માટે કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 67 હજાર બાળકોનું રસીકરણ થાય છે. યૂવીન પોર્ટલમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી ખબર પડી જશે કે બાળકને કયા પ્રકારનું રસીકરણ થયુ છે અને કઇ રસી મુકવાની બાકી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow