રાજકોટમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટમાં આજીડેમ ચોક નજીક ગત 30 નવેમ્બર ના રોજ જમનાબેન અમિતભાઇ વાઘેલા (ઉ.વ.40) નામના પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે ગઇકાલે મૃતક પરિણીતાના પિતા નાનજીભાઈ ઉકાભાઈ ચાવડાએ તેમની દીકરીને પતિ અને સાસુએ મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ આપતા આજીડેમ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી છે.

પતિ ભઠ્ઠીમાં પરાણે મજૂરી કરવતો
ફરિયાદી નાનજીભાઈએ જણાવ્યા મુજબ તેમને સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા છે. જમનાબેન બીજા નંબરના દીકરી હતા. જમનાબેનના લગ્ન રાજકોટની આજીડેમ ચોકડી પાસે લક્કીરાજ પાર્ટી પ્લોટ પાછળ શ્યામ કિરણ સોસાયટીમાં રહેતા કરશનભાઇ વાઘેલાના પુત્ર અમિત ઉર્ફે દશો વાઘેલા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન અમિત જમનાબેનને ત્રાસ આપતો તેને ભઠ્ઠી ખાતામાં પરાણે મજૂરી કરાવતો અને સાસુ મણીબેન અવાર-નવાર મેણા ટોણા મારી ’તારા પિતાએ કંઈ શીખવ્યું નથી’ તેમ કહેતા અને પતિની ચડામણી કરતા જેથી પતિ અમિત જમનાબેનને મારકૂટ કરતો હતો.

ચાર વખત રીસામણે ગઈ હતી
આ દરમિયાન પરિણીતા ચારેક વખત રીસામણે ગઈ હતી. જોકે આરોપી તેને સમજાવી પરત ઘરે લઈ જતો. નાનજીભાઈએ તેની પુત્રી અવારનવાર ફોન કરી અને રૂબરૂ કહેતી કે, આરોપી મારકૂટ છે. જોકે પિતા દીકરીનું લગ્નજીવન સુખેથી ચાલે એટલા માટે તે તેને સમજાવી પરત સાસરે મોકલી આપતા હતા જોકે પતિ ખૂબ જ મારકૂટ કરતો હોવાનું અને સહન થતું ન હોવાનું અને આ લોકો કા મારી નાખશે કે મરી જવા મજબુર કરે ત્યાં સુધીનો ત્રાસ આપતા હોવાનું કહી ત્રાસના કારણે આત્મહત્યા કરી લઈશ તેવી વાત કરી જમનાબેને અગાઉ પણ કરી હતી.

પતિ અમિતે ખૂબ જ માર માર્યો
ગત તા.29 નવેમ્બર ના રોજ જમનાબેને તેમની બહેનને ફોન કરી પતિ અમિતે ખૂબ જ માર માર્યો હોવાનું કહ્યું હતું. તેના બીજા દિવસે તા.30 ના પણ ફોન કરી પરિણીતાએ તેનો પતિ તેના સાસુએ ચડામણી કરતા માર માર્યાની વાત કરી હતી બાદમાં તા.30 ના તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે આજી ડેમ પોલીસે આઇપીસી કલમ 498(ક), 306 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow