જંગલેશ્વરનો શખ્સ 2.38 લાખના શરાબ ભરેલા વાહન સાથે પકડાયો

જંગલેશ્વરનો શખ્સ 2.38 લાખના શરાબ ભરેલા વાહન સાથે પકડાયો

રાજકોટ જિલ્લા અને શહેર પોલીસે ત્રણ સ્થળેથી રૂ.4.13 લાખની કિંમતનો વિદેશીદારૂ પકડી પાડ્યો છે. શાપર પોલીસ નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર પેટ્રોલિંગમાં હતી તે સમયે કોરાટ ચોક પાસેથી એક માલવાહક વાહન શંકાસ્પદ જણાતા તેને અટકાવ્યો હતો. વાહનમાં ચાલક મળી આવતા તેની પૂછપરછ કરતા તે જંગલેશ્વર-28માં રહેતો સેજાદ સીદી હેરંજા હોવાનું જણાવ્યું હતુ. જ્યારે વાહનની તલાસી લેતા અંદરથી વિદેશીદારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 840 બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂ, વાહન મળી રૂ.5.88 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી છે. અન્ય બે દરોડા રાજકોટ શહેર પોલીસે પાડ્યા હતા. જેમાં જામનગર રોડ, સરકારી ગોડાઉન પાછળ અરિહંતનગરમાં રહેતા જયદીપસિહ રણજિતસિંહ ઝાલાને તેના ઘરેથી વિદેશીદારૂની 185 બોટલ સાથે પકડી પાડયો હતો. પૂછપરછમાં તે વિદેશીદારૂ એસઆરપી કેમ્પ સામે વર્ધમાન વિલામાં રહેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપી હતી.

જેથી પોલીસે ત્યાં દરોડો પાડતા પોલીસને યુવરાજસિંહ હાથ લાગ્યો ન હતો. પરંતુ તેના ઘરમાંથી વિદેશીદારૂની 175 બોટલ મળી આવી હતી. પોલીસે બંને સ્થળેથી રૂ.1.75 લાખનો દારૂ કબજે કરી જયદીપસિંહની ધરપકડ કરી છે અને યુવરાજસિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય બનાવમાં ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસેથી હેમલ હર્ષદ પરમારને વિદેશીદારૂની 10 બોટલ સાથે, ગાયત્રીનગર મેઇન રોડ પરથી પ્રદીપ ઉર્ફે પદીયો ભીખુ દેવડાને વિદેશીદારૂની 12 બોટલ સાથે પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow