મોટી બહેને ફરવા જવાની ના કહેતા મિઝોરમની યુવતીએ ફાંસો ખાધો

મોટી બહેને ફરવા જવાની ના કહેતા મિઝોરમની યુવતીએ ફાંસો ખાધો

શહેરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેવાની ઘટના સમયાંતરે બને છે. ત્યારે વધુ બે ઘટના બની હતી, જેમાં છોટુનગરમાં રહેતી મિઝોરમની યુવતીને તેની મોટી બહેને ફરવા જવાની ના કહેતા યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી, તેમજ ઘંટેશ્વરની આશાપુરા રેસિડેન્સીમાં રહેતા યુવકે પણ આપઘાત કરી લીધો હતો. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

છોટુનગરમાં ભાડાના મકાનમાં રહેતી મિઝોરમની યુવતી લલમોન્ઝીલી છકછુપાક (ઉ.વ.26)એ બુધવારે વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે પડદો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, સવારે તેની બહેન જાગી ત્યારે યુવતીનો લટકતો દેહ જોવા મળ્યો હતો, ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. આ બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મિઝોરમની બંને બહેનો ઉપરોક્ત સ્થળે રૂમ ભાડે રાખીને રહેતી હતી અને ખાનગી નોકરી કરતી હતી, મંગળવારે રાત્રે લલમોન્ઝીલીએ ફરવા જવાની વાત કરી હતી પરંતુ તેની મોટી બહેને ના કહેતા તે બાબતનું માઠું લાગી આવ્યું હતું, રાત્રે મોટી બહેન પોતાના રૂમમાં સુવા ગયા બાદ લલમોન્ઝીલીએ અંતિમ પગલું ભરી લીધું હતું.

અન્ય બનાવમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે આશાપુરા રેસિડેન્સીમાં રહેતા મહિપાલસિંહ સોહનસિંહ ચૌહાણે (ઉ.વ.18) પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૌહાણ પરિવાર રાજસ્થાનનો વતની છે અને વર્ષોથી રાજકોટ રહે છે, મહિપાલસિંહ ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરનો હતો અને કોલેજમાં અભ્યાસ કરતો હતો, યુવાન પુત્રના ફાંસો ખાઇ આપઘાતથી ચૌહાણ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી. આ બન્ને આપઘાતના બનાવમાં યુવતી અને યુવકે ક્યા કારણોસર ફાંસો ખાધો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow