આરોગ્ય, રેલવે અને પોલીસ સહિતે કેસ કરી 60,600 દંડ વસૂલ કર્યો

આરોગ્ય, રેલવે અને પોલીસ સહિતે કેસ કરી 60,600 દંડ વસૂલ કર્યો

મહેસાણા જિલ્લામાં આરોગ્ય સહિતના જુદા જુદા સરકારી વિભાગો દ્વારા તમાકુ નિયંત્રણ ભંગના કાયદા હેઠળ લોકો સામે કેસ કરી રહ્યા છે, ત્યારે એપ્રિલથી સપ્ટેમ્બર છેલ્લા છ મહિનાની અંદર જિલ્લાના 6 સરકારી વિભાગો દ્વારા તમાકુ નિયંત્રણ ભંગ અંતર્ગત 480 કેસ લોકો સામે કરીને રૂ.60,600નો દંડ વસૂલ્યો છે.

તમાકુના સેવન અને ધુમ્રપાન કરતા લોકોમાં જાગૃતતા લાવવાના ભાગરૂપે તંત્ર દ્વારા જાહેરમાં ધુમ્રપાન અને તમાકુનું સેવન કરતાં લોકો સામે કાર્યવાહી કરાઇ રહી છે. જે અંતર્ગત જિલ્લાના આરોગ્ય, પોલીસ, રેલવે, એસટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સહિતના 6 સરકારી વિભાગો દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીના 6 મહિનામાં તમાકુ નિયંત્રણ ભંગના 480 કેસ કરી રૂ.60,600નો દંડ વસૂલાયો છે. જેમાં જાહેરમાં ધુમ્રપાન કરતા 468 જેટલા લોકો દંડાયા છે.

જિલ્લાના સ્ક્વોડ અને શિક્ષણ વિભાગે એકપણ કેસ કર્યો નથી
શિક્ષણ સંકુલની આસપાસ જ્યાં તમાકુનું સેવન અને ધુમ્રપાન વિદ્યાર્થીઓ દ્વારા કરાઇ રહ્યું છે તેવા શિક્ષણ વિભાગ અને જિલ્લા સ્કવોડ 6 માસમાં તમાકુ નિયંત્રણ ભંગનો એકપણ કેસ કર્યો નથી.

સરકારી વિભાગકેસદંડ
આરોગ્ય વિભાગ56રૂ.5,770
પોલીસ વિજાપુર166રૂ.33,200
ST વિજાપુર20રૂ.200
ખોરાક ઔષધ તંત્ર13રૂ.1,300
રેલ્વે વિભાગ5રૂ.500
ST મહેસાણા

220

રૂ.19,630
કુલ480રૂ.60,600

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow