રાજકોટમાં સુસાઇડ નોટ લખીને 2 બાળકોના પિતાએ ગળાફાંસો ખાઈ લીધો, અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ…જાણો સમગ્ર ઘટના વિગતવાર…

રાજકોટમાં સુસાઇડ નોટ લખીને 2 બાળકોના પિતાએ ગળાફાંસો ખાઈ લીધો, અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ…જાણો સમગ્ર ઘટના વિગતવાર…

કોટડા સાંગાણીમાં યુવાને પોતાના ઘરે જ ફાંસો ખાઇને મોત માગી લીધું હતું. જો કે તેણે આવું પગલું શા કારણે ભરી લીધું એ કારણ હજુ અકબંધ જ છે. પોલીસે તેમના પરિવારજનોની પૂછપરછ આરંભી વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના પગલાંથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. કોટડા સાંગાણી ખાતે ગોંડલ રોડ પર રહેતા સંજય ધીરુભાઈ વઘાસીયા (ઉ.વ.૪૫) નામના પરિણીત યુવાને પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં તેમણે તાત્કાલિક ધોરણે યુવાનને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી,પીએમ માટે ખસેડ્યો હતો અને આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસે આપઘાતથી મોત અંગે નોંધ કરી અને વધુ તપાસ આરંભી છે.તપાસનીશ અધિકારી વી.પી.કનારાએ જણાવ્યું હતું કે મૃતકે સ્યુસાઇડ નોટ લખી છે અને તેમાં કોઇ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમ છતાં અમુક એવી વિગતો સાંપડી રહી છે કે થોડા સમય પહેલાં તેમના ઘરે ફર્નિચર વેચવાનું હોઇ, અમુક મહિલા સભ્યો જોવા આવ્યા હતા અને બાદમાં કોઇ અજાણ્યા શખ્સે એવો આરોપ મૂકયો કે તેણે છેડતી કરી છે.

જો કે પરિવારજનો આ બાબતે કશું કહેવા હજુ તૈયાર નથી અને એ ફોન કોનો હતો એ પણ સામે આવ્યું નથી અને એ હકિકતને પુષ્ટિ પણ મળતી નથી, તેમ છતાં હજુ વિધિવત કોઇ સામે ફરિયાદ નોંધાવાઇ પણ નથી. તપાસ હજુ ચાલુ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow