રાજકોટમાં બાંધકામ સાઈટના શ્રમિકને કોલેરા, બે સાથીને પણ ઝાડા-ઊલટી

રાજકોટમાં બાંધકામ સાઈટના શ્રમિકને કોલેરા, બે સાથીને પણ ઝાડા-ઊલટી

રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ કોલેરા દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જે પાણી બાંધકામ સાઈટ પર વાપરવાનું હતું તેનો ઉપયોગ દર્દીએ પીવામાં કરતા સ્થિતિ બગડી હોવાનું ધ્યાને આવ્યું હતું. દર્દી સિવાય બીજા બે સાથીમાં પણ લક્ષણો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે.

રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં ઝાડાની ફરિયાદ સાથે 45 વર્ષના યુવાનને બેશુદ્ધ હાલતમાં દાખલ કરાયો હતો. જોકે તેની બીમારી સામાન્ય ન લાગતા વિવિધ રિપોર્ટ કરવા નિર્ણય લેવાયો હતો. ડો. અર્ચિત રાઠોડે જણાવ્યું હતું કે, દર્દીને લક્ષણો દેખાયા હતા અને 7થી 8 કલાકમાં જ બેશુદ્ધ બનતા હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા હતા. તપાસમાં બ્લડપ્રેશર અત્યંત ઘટી ગયાનું અને કિડની પર સોજા માલૂમ પડ્યા હતા. આ અસર કોલેરામાં જોવા મળે છે બીજી તરફ કોલેરા હવે લગભગ નાબૂદી પર છે આમ છતાં શંકાને આધારે રિપોર્ટ કરાતા કોલેરાનું નિદાન થયું છે.

આ કેસ મામલે મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, દર્દી કાલાવડ રોડ પર મોટામવા વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પર મજૂરી કરે છે. સાઈટ પર ઉપયોગ કરવા માટે અલગ અલગ ટેન્કરથી પાણી પહોંચાડાય છે અને તે પાણીનો ઉપયોગ દર્દીએ કરતા તબિયત બગડી છે. માહિતી મળતા ટીમ સ્થળ તપાસ કરવા ગઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow