ગોંડલમાં પીરની આંબલી પાસે કાર અને રિક્ષા વચ્ચે ટક્કર

ગોંડલમાં પીરની આંબલી પાસે કાર અને રિક્ષા વચ્ચે ટક્કર

શહેરના ગોંડલ જેતપુર રોડ પર પીરની આંબલી પાસે એક કાર અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને કારમાં પોલીસ લખેલી પ્લેટ જોવા મળી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની બન્ને એર બેગ ખુલી ગઈ હતી. જો કે અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજા થતા સારવાર અર્થે ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને વાહનોની સતત અવરજવર ધરાવતા રસ્તા પર બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ શહેર પોલીસને થતાં સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા.

શહેરના જેતપુર રોડ ઉપર દિવસ રાત સતત વાહનોની અવર જવર રહેતી હોવાના કારણે ટ્રાફિક સારો એવો રહેતો હોય છે. ત્યારે રાત્રીના 9.30 કલાકે પીરની આંબલી પાસે કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં GJ10TW - 4212 નંબર નો રીક્ષા ચાલક ચોરડી દરવાજા તરફથી જેલચોક તરફ જતો હતો અને GJ03JL 9606 નંબરની કારનો ચાલક જેલ ચોકથી ચોરડી દરવાજા તરફ જતો હતો ત્યારે આઅકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં CNG ફિટિંગ હતું. સદનસીબે મોટી જાનહાનિ થવા પામી નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow