રાધનપુરમાં ખેતરમાં ઢોર ચરાવવા મામલે બે જૂથો વચ્ચે અથડામણ

રાધનપુરમાં ખેતરમાં ઢોર ચરાવવા મામલે બે જૂથો વચ્ચે અથડામણ

રાધનપુરનાં સુખપુરા, રેલવે સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડવાની અદાવતમાં બે જુથો વચ્ચે સશસ્ત્ર ધિંગાંણુ ખેલાયું હતું. જેમાં કેટલાકને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોંધાઈ હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરનાં રેલ્વે સ્ટેશન સુખપુરામાં રહેતા દશરથભાઇ રાયાભાઇ દેવીપૂજક તથા કરશનભાઈ તળશીભાઇનાં પિતાની જમીનમાં દશરથભાઇએ કરશનભાઇને ઢોર લઈને આવવાની ના પાડતાં તેની અદાવત રાખીને કરશનભાઇ તથા અન્યો લોકો પાઇપ, લાકડીઓ, ધારીયા સાથે આવીને દશરથને કહેલ કે, એકલો ખેતર બધાવીને પડ્યો છે તેમ કહી ગાળો બોલી હતી. જેથી દશરથે કહેલ કે, ખેતર મારા ભાગનું છે. તેમ કહેતાં કરશનભાઇ, નારણભાઇ, શ્રવણભાઇ, રાજુભાઇ, ગોપાલભાઇ તથા સુરેશભાઇએ દશરથને લાકડી પાઇપથી મારતાં તથા જીતુભાઈએ ધારીયું અને રાયાભાઇને ધારીયું માથામાં મારતાં ઇજા થઇ હતી. આ બનાવ અંગે પોલીસે છ શખ્સો સામે આઇપીસી 143/147/148/ 149/326/324/323/504મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow