રાધનપુરમાં ખેતરમાં ઢોર ચરાવવા મામલે બે જૂથો વચ્ચે અથડામણ

રાધનપુરમાં ખેતરમાં ઢોર ચરાવવા મામલે બે જૂથો વચ્ચે અથડામણ

રાધનપુરનાં સુખપુરા, રેલવે સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડવાની અદાવતમાં બે જુથો વચ્ચે સશસ્ત્ર ધિંગાંણુ ખેલાયું હતું. જેમાં કેટલાકને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોંધાઈ હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરનાં રેલ્વે સ્ટેશન સુખપુરામાં રહેતા દશરથભાઇ રાયાભાઇ દેવીપૂજક તથા કરશનભાઈ તળશીભાઇનાં પિતાની જમીનમાં દશરથભાઇએ કરશનભાઇને ઢોર લઈને આવવાની ના પાડતાં તેની અદાવત રાખીને કરશનભાઇ તથા અન્યો લોકો પાઇપ, લાકડીઓ, ધારીયા સાથે આવીને દશરથને કહેલ કે, એકલો ખેતર બધાવીને પડ્યો છે તેમ કહી ગાળો બોલી હતી. જેથી દશરથે કહેલ કે, ખેતર મારા ભાગનું છે. તેમ કહેતાં કરશનભાઇ, નારણભાઇ, શ્રવણભાઇ, રાજુભાઇ, ગોપાલભાઇ તથા સુરેશભાઇએ દશરથને લાકડી પાઇપથી મારતાં તથા જીતુભાઈએ ધારીયું અને રાયાભાઇને ધારીયું માથામાં મારતાં ઇજા થઇ હતી. આ બનાવ અંગે પોલીસે છ શખ્સો સામે આઇપીસી 143/147/148/ 149/326/324/323/504મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow