ભરબપોરે પણ કાતિલ ઠંડા પવનનું રાજ

ભરબપોરે પણ કાતિલ ઠંડા પવનનું રાજ

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહે છે પરંતુ ઠંડો પવન ફુંકાય છે જેને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. હવામાનખાતાના જણાવ્યા મુજબ 26 જાન્યુઆરી સુધી ઠંડો પવન રહેશે. ત્યારબાદ સીંગલ ડિજિટમાં તાપમાન પહોંચશે. 15 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેશે. ત્યારબાદ 15 માર્ચ સુધી ઠંડી-ગરમી બન્ને અનુભવાશે. વધુમાં હવામાનખાતાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે હવાના દબાણનો તફાવત વધુ રહેતો હોવાને કારણે ઠંડા પવનો ફુંકાય છે. પવનો વધુ ઝડપે ફુંકાતા હોવાને કારણે ઠંડી હોય તેના કરતા વધુ અનુભવાય છે.

વેધરની ભાષામાં આ પ્રકારના વાતાવરણને વિન્ડ ચિલ્ડ ફેક્ટર કહેવાય. દિવસભર ઠંડો પવન ફુંકાય છે. સૌથી વધુ અસર સવારે-રાત્રે જોવા મળે છે. રાજકોટમાં રવિવારે લઘુતમ તાપમાન 10.3 ડિગ્રી રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી હતું. પરંતુ દિવસભર ઠંડા પવનો ફુંકાતા લોકો ગરમ વસ્ત્રોમાં જ સજ્જ જોવા મળ્યા હતા. રાજકોટમાં સવારે 18 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જે સૌથી વધારે હતો.

લગ્નપ્રસંગમાં, જાહેર કાર્યક્રમમાં પણ હાજરી ઓછી
હાલ ઠંડા પવનો ફુંકાતા શિતલહેરની સ્થિતિ સર્જાઇ છે. આ પરિસ્થિતિમાં શાળા-કોલેજમાં હાજરી પણ ઓછી જોવા મળે છે. અથવા તો માતા-પિતા બાળકોને સમય કરતા મોડા મોકલે છે. બીજું અત્યારે લગ્નસિઝન પણ ચાલી રહી છે. ઠંડા પવનો ફુંકાતા લગ્નપ્રસંગમાં પણ લોકોની હાજરી ઓછી જોવા મળી રહી છે. રાત્રે 9 વાગ્યા પછી રાજમાર્ગો પણ સૂમસામ બની જાય છે.

ખાનગી- સરકારી દવાખાના દર્દીથી ઊભરાયા
ઠંડી વધારે રહેવાને કારણે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. હાલમાં ખાનગી-સરકારી દવાખાના દર્દીથી ઊભરાઈ રહ્યા છે. તેમજ દવાની ડિમાન્ડમાં વધારો પણ થયો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઠંડીના કારણે શરદી-તાવ સહિતની બીમારી થઈ રહી છે.

સૌરાષ્ટ્રનું તાપમાન
શહેરલઘુતમમહત્તમ
અમરેલી1024.2
ભાવનગર12.624.2
દ્વારકા14.923.6
ઓખા17.322.5
પોરબંદર11.325
રાજકોટ10.324.9
વેરાવળ13.625.2
દીવ10.524.4
સુરેન્દ્રનગર11.224.5
કેશોદ8.824.1

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow