બ્રિટનના શહેરોમાં 32 કિ.મી/કલાકની સ્પીડ લિમિટથી અકસ્માત 15% ઘટ્યા

બ્રિટનના શહેરોમાં 32 કિ.મી/કલાકની સ્પીડ લિમિટથી અકસ્માત 15% ઘટ્યા

શહેરોમાં થનારા અકાળે મૃત્યુ પાછળનું મોટું કારણ માર્ગ અકસ્માત છે. અકસ્માતો ઘટાડવા માટે બ્રિટન સહિત યુરોપમાં અનેક દેશો પોતાના શહેરોમાં સ્પીડ લિમિટ 32 કિ.મી/કલાક નક્કી કરી રહ્યાં છે. વાહનોની સ્પીડ લિમિટ મર્યાદિત કરવાની અસર જાણવાના આશયથી ઉત્તરી આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં ક્વીન યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યું છે. તેમાં 76 માર્ગ પર ગતિ મર્યાદા લાગૂ કરતા પહેલા, લાગૂ કરવાના એક વર્ષ બાદ અને ત્રણ વર્ષ બાદ માર્ગ અકસ્માતો, મોત, વાહનોની સંખ્યા તેમજ ગતિના આંકડાનું વિશ્લેષણ કરાયું હતું.

આ આંકડાઓની જે શહેરોમાં સ્પીડ લિમિટ નક્કી નથી એ શહેરો સાથે તુલના કરવામાં આવી હતી. સ્ટડી અનુસાર વાહનોના અકસ્માતમાં ત્રણ વર્ષ બાદ 15%નો ઘટાડો નોંધાયો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોની સંખ્યામાં એક વર્ષ બાદ 16% તેમજ ત્રણ વર્ષ બાદ 22%નો ઘટાડો નોંધાયો. ટ્રાફિકની સેરરાશ સ્પીડ એક વર્ષ બાદ 0.3 કિ.મી તેમજ ત્રણ વર્ષ બાદ 1.4 કિ.મી ઘટી હતી.

સવારે થનારા વાહનોના ટ્રાફિકમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. 32થી 48 કિ.મી/કલાકની સ્પીડ લિમિટ વાળી સડકોની તુલનામાં 48 થી 64 કિ.મી/કલાકની સ્પીડ લિમિટ ધરાવતી સડકો પર રાહદારીઓ માટે ખતરો 3.5 થી 5.5 ગણો વધ્યો હતો. અકસ્માતો નિયંત્રિત કરવા માટે 32 કિ.મી/કલાકની ગતિ મર્યાદા, ડ્રાઇવરને તાલિમ, સીસીટીવી કેમેરા, સામાજીક જાગરુકતા, સ્પીડ વોચ, પોલીસ કાર્યવાહી જરૂરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow