19 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિએ ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગોળીબાર કર્યો

19 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિએ ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગોળીબાર કર્યો

USની વર્જિનિયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયા હતા, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાંથી એકની ઉંમર 19 વર્ષની હોવાનું કહેવાય છે. આ ઘટના વર્જિનિયાના રિચમંડ વિસ્તારમાં આવેલા મનરો પાર્કમાં સાંજે લગભગ 5.15 વાગ્યે બની હતી.

શૂટિંગના થોડાં સમય પહેલા પાર્કમાં આવેલા અલ્ટ્રિયા થિયેટરમાં હાઇસ્કૂલની ગ્રેજ્યુએશન સેરેમની શરૂ થઇ હતી. આ પાર્ક વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના કેમ્પસમાં છે. ગોળીબારમાં માર્યા ગયેલા લોકો સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. જેમાં 18 વર્ષીય યુવક અને 35 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

રિચમન્ડ પબ્લિક સ્કૂલ્સના અધિકારી મેથ્યુ સ્ટેનલીએ જણાવ્યું હતું કે સાંજે વધુ બે સ્કૂલે ગ્રેજ્યુએશન સેરેમની નક્કી કરી હતી, પરંતુ તે રદ કરવામાં આવી. વાસ્તવમાં ત્રણ શાળાઓમાં મંગળવારે અલ્ટ્રિયા થિયેટરમાં ગ્રેજ્યુએશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીએ સાંજે 5:15 વાગ્યે મોનરો પાર્કમાં બનેલી ઘટનાની માહિતી આપતાં એલર્ટ મોકલ્યું હતું. લગભગ એક કલાક પછી એલર્ટ આવ્યું કે હવે કોઈ જોખમ નથી. રિચમન્ડના મેયર લેવર એમ. સ્ટોનીએ જણાવ્યું હતું કે પોલીસ મનરો પાર્કમાં પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હાલમાં આ વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow