રાજકોટ જિલ્લામાં 320 કેન્દ્રો પર 84 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લામાં 320 કેન્દ્રો પર 84 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લામાં યોજાનારી માર્ચ-2023ની SS.C. અને H.S.C. પરીક્ષાના સફળ સંચાલન માટે આજે રાજ્યના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, બોર્ડના અધિકારીઓ ડીઈઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અંગે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોર, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

320 જેટલા સેન્ટર છે
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે જિલ્લામાં 320 જેટલા સેન્ટર છે, જે પૈકી 2916 બ્લોક છે અને 84 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. 9 સંવેદનશીલ કેન્દ્રો છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પી.જી.વી.સી.એલ. દ્વારા પાવર મેનેજમેન્ટ, એસ.ટી વિભાગ દ્વારા વાહન વ્યવસ્થા, પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.ગરમીના દિવસો હોવાના કારણે તમામ સ્કુલો ખાતે પાણીની અને વિદ્યાર્થીઓને પ્રિ-એક્ઝામ અને પોસ્ટ-એક્ઝામ સ્ટ્રેસ કાઉન્સેલીંગની વ્યવસ્થા કરવા સહિતની તમામ સુચનાઓ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

સ્કૂલ નિર્ધારીત કરવામાં આવી
એસ.એસ.સી પરીક્ષાની 01 ઝોનની ઝોનલ કચેરી – જી. ટી. ગર્લ્સ હાઈસ્કૂલ,રાજકોટ અને ૦૨ ઝોનની ઝોનલ કચેરી – બાઈ સાહેબબા ગર્લ્સ હાઈ.,રાજકોટ તથા ૦૧ ઝોનની ઝોનલ કચેરી - ભગવતિસંહજી હાઈસ્કૂલ, ધોરાજી અને 01 ઝોનનો ઝોનલ કચેરી – મોડેલ સ્કુલ, જસદણ ખાતે નિર્ધારીત કરવામાં આવી છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow