USમાં પહેલીવાર 83 મુસ્લિમ વિજયી!

USમાં પહેલીવાર 83 મુસ્લિમ વિજયી!

અમેરિકામાં તાજેતરમાં આયોજિત મધ્યસત્રની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા. સ્થાનિક, રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણીમાં આશરે 150 મુસ્લિમ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. તેમાંથી 83 વિજયી થયા. અમેરિકામાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. જીતનારા તમામ ઉમેદવારો ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા હતા.

અગાઉ 2020માં 71 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. રાજકીય નિષ્ણાત સાન્યા મન્સૂર અનુસાર આ ચૂંટણીમાં સ્પષ્ટ થઈ ગયું છે કે મુસ્લિમો હવે અહીંના રાજકારણનો હિસ્સો છે. અમેરિકામાં 34.5 લાખ મુસ્લિમોની વસતી છે. તેમાં મોટાભાગના ડેમોક્રેટિક પાર્ટીના મતદારો છે.

રિપબ્લિકન પાર્ટી જમણેરી કટ્ટર વિચારધારા સાથે જોડાયેલી છે જેના લીધે મુસ્લિમ મતદારો તેમની તરફેણમાં નથી. આ ચૂંટણીમાં બાંગ્લાદેશી મુસ્લિમ અમેરિકી નબીલા ઈસ્લામ જ્યોર્જિયા સેનેટ માટે જીતનાર પ્રથમ મુસ્લિમ અને પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા છે.

અમેરિકામાં અશ્વેતોને મળતી અનામત પર જલદી જ સુપ્રીમકોર્ટ દ્વારા રોક લગાવાઈ શકે છે. અનેક ભારતીય વિદ્યાર્થીઓનો દાવો છે કે અનામતના નામે હાર્વર્ડ જેવી મોટી યુનિવર્સિટી ભેદભાવ કરે છે. આ કારણે તેમણે કોર્ટમાં અનામત વિુરદ્ધ અરજી દાખલ કરી હતી. સ્ટુડન્ટ્સ ફોર ફેર એડમિશન(એસએફએએફએ)નામના સમૂહે કોર્ટમાં કહ્યું કે અનામત એક સકારાત્મક નીતિ છે પણ તે સમાનતાથી લાગુ નથી કરાઈ રહી. જોકે હાર્વર્ડે આ દાવાને ફગાવી દીધા હતા. અમુક વર્ષ પહેલા એસએફએએફએ આ મામલે નીચલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પણ તે કેસ હારી ગયા. નિષ્ણાતો અનુસાર હવે એસએફએએફએ આ કેસ જીતી શકે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow