ઓફિસના કામ દરમિયાન થયેલી મિત્રતાના ફાયદા પર 80 વર્ષ સુધી સંશોધન

ઓફિસના કામ દરમિયાન થયેલી મિત્રતાના ફાયદા પર 80 વર્ષ સુધી સંશોધન

દુનિયાભરમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધી રહ્યો છે પરંતુ ઓફિસમાં સહકર્મીઓ સાથેની મિત્રતાથી જીવન ખુશહાલ વીતે છે. વાસ્તવમાં, હાર્વર્ડ સ્ટડી ઑફ એડલ્ટ ડેવલપમેન્ટના ડિરેક્ટર સાઇકિયાટ્રિસ્ટ રોબર્ટ વાલ્ડિંગર અને સાઇકોલોજિસ્ટ માર્ક શુલ્ઝે એક પુસ્તકમાં ઓફિસમાં કામ કરવા દરમિયાન થયેલી મિત્રતાના ફાયદા જણાવ્યા છે.

પોતાનાં 80 વર્ષના રિસર્ચને પુસ્તકમાં તબદીલ કર્યું છે. પુસ્તકનું નામ ‘ધ ગુડ લાઇફ:લેસન ફ્રોમ ધ વર્લ્ડ લોંગેસ્ટ સાયન્ટિફિક સ્ટડી ઑફ હેપિનેસ’ છે. તેમાં તેમણે જણાવ્યું કે એ લોકો પોતાના જીવનથી વધુ ખુશ હતા, જેમના પોતાના સહકર્મીઓ સાથે સારા સંબંધ હતા. આવા લોકો ભલે કારકિર્દીમાં પોતાનું સપનું પૂરું કરી ન શકે પરંતુ તેઓ નાપસંદ કરનારા સહકર્મીઓની સાથે કામ કરતા લોકો સાથે વધુ ખુશ હતા. વાસ્તવમાં, આપણે આપણો વધુ સમય સહકર્મીઓ સાથે વિતાવીએ છીએ. માટે જ તેમનું વર્તન આપણી ખુશી નક્કી કરે છે. સૌથી ખુશ વ્યક્તિ લિયો લેખક ન બની શક્યા, પરંતુ તેઓ એક શિક્ષક બનીને ખુશહાલ જીવન જીવતા હતા. કારણ કે તે બાળકો અને શિક્ષકોની વચ્ચે રહે છે.

તેમણે અનેક પ્રમોશન ફગાવ્યાં હતાં. એક અન્ય ઉદાહરણ હેનરી અને રોસા દંપતીનું છે જેમને પોતાનું કામ પસંદ ન હતું. તેઓએ પોતાના સહકર્મીઓને ઘરે લંચ લેવા માટે બોલાવવાનું શરૂ કર્યું હતું કારણ કે દંપતીની તેમની સાથે સારી મિત્રતા થઇ હતી. તેઓ જેટલા ખુશ હતા તે અન્ય અમીર રિસર્ચ સહભાગીઓ કરતાં વધુ હતું.

80 વર્ષની ઉંમરમાં વર્ક લાઇફ બેલેન્સ પર અફસોસ થાય છે
રિસર્ચ અનુસાર વર્ક લાઇફ બેલેન્સ યોગ્ય ન હોવાથી નિવૃત્ત થયા બાદ 80-90 વર્ષની ઉંમરમાં અફસોસ થાય છે. માઇકલ જેઓ પહેલા કામને જ પોતાના જીવનનું લક્ષ્ય માનતા હતા. હવે તેઓ ઘરે વધુ સમય ન વિતાવી શકતા હોવાથી અફસોસ કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow