8 મોટા શહેરમાં સપ્ટે. ક્વાર્ટરમાં મિલકતોની કિંમતમાં 6%નો વધારો

8 મોટા શહેરમાં સપ્ટે. ક્વાર્ટરમાં મિલકતોની કિંમતમાં 6%નો વધારો

દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આઠ મોટા શહેરોમાં જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6% ટકાનો વધારો થયો છે. દિલ્હી-NCR, મુંબઇ-MMR, કોલકાતા, પુણે, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગ્લુરુ અને અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. સૌથી વધુ દિલ્હી-એનસીઆરમાં મિલકતોની કિંમતમાં 14 ટકા તેજી છે.

ક્રેડાઇ-કોલિયર્સ-લિયાસેસ ફોરાસના હાઉસિંગ પ્રાઇઝ ટ્રેકર રિપોર્ટ-2022 અનુસાર વ્યાજદરોમાં વૃદ્વિ તેમજ ઇનપુટ ખર્ચમાં વધારા છતાં આ વર્ષના પ્રારંભથી જ ડેવલપર્સે હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં વધારો કર્યો છે. આ વચ્ચે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ન વેચાયેલા મકાનોની સંખ્યા વાર્ષિક સ્તરે 3 ટકા વધી હતી.

છેલ્લા કેટલાક મહિનામાં લોન્ચિંગમાં તેજીને કારણે દેશભરમાં લગભગ 94% મકાન અંડર કંસ્ટ્રક્શન હતા. મોટા ભાગના શહેરોમાં વેચાયેલા વગરના મકાનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બેંગ્લુરુમાં સૌથી વધુ 14% મિલકતો વેચાયા વગરની હતી. માત્ર હૈદરાબાદ, એમએમઆર તેમજ અમદાવાદમાં વેચાયેલા વગરના મકાનોની સંખ્યા વધી છે. MMR વેચાયેલા વગરના મકાનોની સંખ્યા મામલે 37 ટકા સાથે ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ 13-13 ટકાના માર્કેટ શેર સાથે NCR અને પુણે બીજા સ્થાન પર છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow