74મો ગણતંત્ર દિવસ

74મો ગણતંત્ર દિવસ

આજે 74મો ગણતંત્ર દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવશે. આ સાથે સવારે 10:30 વાગ્યાથી પ્રજાસત્તાક દિવસની પરેડ અને ટેબ્લો કાર્યક્રમ શરૂ થશે. ઈજીપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. પરેડમાં રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની કુલ 27 ઝાંખીઓ બહાર કાઢવામાં આવશે. જેમાંથી 23 સાંસ્કૃતિક હશે. આ બધા દરમિયાન, એવી 7 વિશેષતાઓ છે જે પહેલીવાર જોવા મળશે.

ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રગીત દરમિયાન 21 તોપોની સલામી આપવાની પરંપરા છે. અત્યાર સુધી આ સલામી બ્રિટનમાં બનેલી 25 પાઉન્ડરની તોપોથી આપવામાં આવતી હતી, જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. હવે તેના સ્થાને ભારતમાં બનેલી 105MM ઇન્ડિયન ફિલ્ડ ગન દ્વારા સલામી આપવામાં આવશે. આ તોપો જબલપુર અને કાનપુરની ગન ફેક્ટરીમાં બનાવવામાં આવી હતી.

તેને 1972 માં ડિઝાઇન કરવામાં આવી હતી અને 1984થી સેવામાં કાર્યરત છે. દિલ્હી વિસ્તારના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભાવનીશ કુમારે કહ્યું કે દેશમાં 105MM તોપો બને છે, તેથી અમે તેનાથી સલામી આપવા માંગીએ છીએ. તે અમારા માટે ગર્વની વાત છે, અમે એટલા માટે સ્વદેશી તોપનો ઉપયોગ કરીશું.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow