74મો ગણતંત્ર દિવસ

74મો ગણતંત્ર દિવસ

આજે 74મો ગણતંત્ર દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવશે. આ સાથે સવારે 10:30 વાગ્યાથી પ્રજાસત્તાક દિવસની પરેડ અને ટેબ્લો કાર્યક્રમ શરૂ થશે. ઈજીપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. પરેડમાં રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની કુલ 27 ઝાંખીઓ બહાર કાઢવામાં આવશે. જેમાંથી 23 સાંસ્કૃતિક હશે. આ બધા દરમિયાન, એવી 7 વિશેષતાઓ છે જે પહેલીવાર જોવા મળશે.

ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રગીત દરમિયાન 21 તોપોની સલામી આપવાની પરંપરા છે. અત્યાર સુધી આ સલામી બ્રિટનમાં બનેલી 25 પાઉન્ડરની તોપોથી આપવામાં આવતી હતી, જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. હવે તેના સ્થાને ભારતમાં બનેલી 105MM ઇન્ડિયન ફિલ્ડ ગન દ્વારા સલામી આપવામાં આવશે. આ તોપો જબલપુર અને કાનપુરની ગન ફેક્ટરીમાં બનાવવામાં આવી હતી.

તેને 1972 માં ડિઝાઇન કરવામાં આવી હતી અને 1984થી સેવામાં કાર્યરત છે. દિલ્હી વિસ્તારના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભાવનીશ કુમારે કહ્યું કે દેશમાં 105MM તોપો બને છે, તેથી અમે તેનાથી સલામી આપવા માંગીએ છીએ. તે અમારા માટે ગર્વની વાત છે, અમે એટલા માટે સ્વદેશી તોપનો ઉપયોગ કરીશું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow