જોબ સેક્ટરમાં છટણીના દોર વચ્ચે 71% ભારતીય વર્કિંગ પ્રોફેશનલ્સને નોકરી કાયમ રહેવાનો ભરોસો

જોબ સેક્ટરમાં છટણીના દોર વચ્ચે 71% ભારતીય વર્કિંગ પ્રોફેશનલ્સને નોકરી કાયમ રહેવાનો ભરોસો

દુનિયાભરમાં છટણીઓના દોર છતાં ભારતમાં 10માંથી 7 પ્રોફેશનલ્સ આ વર્ષે પોતાની નોકરી કાયમ રહેવાને લઇને આશાવાદી વલણ ધરાવે છે. અહીં વધુ રસપ્રદ વાત એ છે કે આ વર્ષે અલગ અલગ અનુભવ ધરાવતા લોકોની વચ્ચે નોકરી કાયમ રહેવાને લઇને ભરોસો પણ અલગ અલગ છે. એડટેક પ્લેટફોર્મ ગ્રેટ લર્નિંગના જારી થયેલા એક રિપોર્ટ અનુસાર અનિશ્વિત મેક્રો ઇકોનોમિક માહોલની વચ્ચે 6 વર્ષથી વધુ અનુભવ ધરાવતા 83% ભારતીય પ્રોફેશનલ્સને પોતાની નોકરી યથાવત્ રહેશે તેવો ભરોસો છે. જ્યારે ફ્રેશર્સથી લઇને 6 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા 63% પ્રોફેશનલ્સને નોકરી કાયમ રહેવાને લઇને આશાવાદ ધરાવે છે.

વર્કિંગ પ્રોફેશનલ્સમાં કૌશલ્ય વિકાસને લઇન પણ જાગૃતિ વધી
રિપોર્ટ અનુસાર ભારતીય પ્રોફેશનલ્સમાં ભવિષ્યના ગ્રોથને લઇને તેમજ સ્કિલ ડેવલપમેન્ટને લઇને પણ જાગરુકતા વધી રહી છે. 2022માં જ્યાં 79% પ્રોફેશનલ્સ અપ સ્કિંલિંગ કરવા માંગે છે ત્યારે આ વર્ષે અપ સ્કિલિંગની ઇચ્છા ધરાવતા લોકોની ટકાવારી વધીને 83 ટકા થઇ ચૂકી છે. જો કે અપ સ્કિલિંગમાં રોકાણ કરવા માટે ઇચ્છુક મહિલાઓની સંખ્યા હજુ પણ ખૂબ જ ઓછી છે. 8 વર્ષથી વધુ અનુભવ ધરાવતી 11.3% મહિલાઓ અપ સ્કિલિંગમાં રૂચિ ધરાવે છે જ્યારે 8 વર્ષથી ઓછો અનુભવ ધરાવતી 38.4% મહિલાઓએ એવી રૂચિ
દર્શાવી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow