24-45 વર્ષની વયજૂથના 65% રોકાણકારો શેરમાર્કેટમાં મળતા વાસ્તવિક રિટર્નથી અજાણ

24-45 વર્ષની વયજૂથના 65% રોકાણકારો શેરમાર્કેટમાં મળતા વાસ્તવિક રિટર્નથી અજાણ

શેરમાર્કેટમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યા અઢી વર્ષમાં અઢી ગણી વધીને 10 કરોડ પર પહોંચી ચૂકી છે. પરંતુ 24-45 વર્ષના 65% રોકાણકારો શેરમાર્કેટ મારફતે થતી વાસ્તવમાં કમાણી અંગે અજાણ છે. 67% રોકાણકારો રિટર્નના મામલે બેન્ચમાર્ક નિફ્ટીને માત આપવામાં નિષ્ફળ નિવડ્યા છે.

રિસર્ચ કંપની નીલસનના એક રિપોર્ટ અનુસાર, માત્ર કેટલાક ભારતીય રોકાણકારો જ જાણે છે કે તેઓને રિટર્નને મામલે નિફ્ટી અથવા સેન્સેક્સને માત આપવાની જરૂર હોય છે. અડધાથી વધુ રોકાણકારો વધુ રિટર્ન માટે શું કરી શકાય તેનું જ્ઞાન પણ ધરાવતા નથી. બ્રોકરેજ કંપની સેમકો સિક્યોરિટીઝે નીલસન માટે આ સરવે કર્યો છે. આ સરવેમાં 24-45 વર્ષની ઉંમરના 2,000 રોકાણકારોને આવરી લેવાયા હતા.

રોકાણકારો એફડીના રિટર્ન પર નજર રાખે છે. પરંતુ જો તમે વધુ જોખમ ઉઠાવીને શેરમાર્કેટમાં રોકાણ કરો છો તો તમને તેનાથી વધુ કમાણી પણ થવી જોઇએ. અમારું માનવું છે કે રોકાણકારોને બેન્ચમાર્ક ઇન્ડેક્સ મારફતે ઓછામાં ઓછું 5%થી વધુ રિટર્ન મળે તેવો પ્રયાસ કરવો જોઇએ તેવું સેમકો સિક્યોરિટીઝના સ્થાપક જિમિત મોદીએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીના અંતમાં મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ રોકડ હોલ્ડિંગ વધીને 6.2% થઈ ગયું છે. ફંડ હાઉસની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ કેશ હોલ્ડિંગ 3.2% હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow