મોંઘવારી છતાં 60% લોકોની 45-90 લાખની પ્રોપર્ટી ખરીદવાની ઇચ્છા

મોંઘવારી છતાં 60% લોકોની 45-90 લાખની પ્રોપર્ટી ખરીદવાની ઇચ્છા

દેશના અનેક શહેરોમાં મિલકતોની કિંમત વધવા છતાં દર 10માંથી 6 એટલે કે અંદાજે 60% ભારતીયો 45 લાખથી 1.5 કરોડ રૂ.ની રેન્જમાં ઘર ખરીદવાની ઇચ્છા ધરાવે છે. 35%એ 45-90 લાખ અને 24%એ 90 લાખથી 1.5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ઘરને ખરીદવા પ્રાથમિકતા આપી છે. પ્રોપર્ટી કન્સલટન્ટ એનારૉકના વર્ષ 2023ના પહેલા છ મહિનામાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સરવેમાં આ વાત સામે આવી છે. તેમાં બેંગ્લુરુ, ચેન્નાઇ, પુણે, દિલ્હી-એનસીઆર, કોલકાતા, એમએમઆર અને હૈદરાબાદમાં 5,218 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

એનારૉક ગ્રુપના ચેરમેન અનુજ પુરીએ કહ્યું કે તાજેતરના સરવે અનુસાર મોટા ઘરોની માંગમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ 3 બીએચકે ઘરોએ ફરી એકવાર 2 બીએચકે ફ્લેટ્સને પાછળ છોડી દીધા છે. 48% લોકો 3 બીએચકે ખરીદવાની યોજના ધરાવે છે. જ્યારે, 39%એ 2 બીએચકે ખરીદવાને પ્રાથમિકતા આપી હતી. 45 થી 90 લાખ રૂ.ની કિંમત વાળા ઘર મિડ રેન્જમાં છે અને 90 લાખથી 1.5 કરોડ રૂપિયાની કિંમત વાળા ઘર પ્રીમિયમ રેન્જમાં સામેલ છે.

એવા લોકો જે મિડ અને હાઇ રેન્જ વાળા મકાનની ખરીદી કરવા માંગે છે તેમની સંખ્યા આ વર્ષે 2020ના પહેલા છ મહિનાથી 10% વધુ રહી હતી. આ સ્થિતિ એ સમયે છે જ્યારે 66% લોકોએ માન્યું કે મોંઘવારી તેમની આવકને પ્રભાવિત કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow