સૌરાષ્ટ્ર-કચ્છના 5500 બેંક કર્મીઓની શનિવારે હડતાળ

સૌરાષ્ટ્ર-કચ્છના 5500 બેંક કર્મીઓની શનિવારે હડતાળ

દેશભરમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓની બદલી સામે વિરોધ અને કરારી કર્મીઓને કાયમી કરવા સહિતની માંગ મુદ્દે દેશભરના બેંક કર્મચારીઓ ફરી એક વખત હડતાલ નો માર્ગ અપનાવ્યો છે જેમાં આગામી શનિવારના રોજ એક દિવસની હડતાલ પાડવા નિર્ણય લેવાયો છે. જેમાં સૌરાષ્ટ્ર -કચ્છના 5500 સહિત દેશના 15000 કર્મચારીઓ જોડાશે અને હડતાળને સમર્થમ આપશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીના જણાવ્યા મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં દ્વિ પક્ષીય કરાર અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પયુટ એક્ટનો ખૂલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. બેંકોમાં અનફેર લેબર પ્રેક્ટીસમાં સતત વધારો થઇ રહ્યો છે. સેન્ટ્રલ બેંક દ્વારા સૌરાષ્ટ્રના 38 સહિત દેશભરમાં કામ કરતા 4325 બેંક કર્મીઓની એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી કરી છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંકમાં સાઈનું કામ કરાર મારફ્ત કરાવવાનું બેંકે નક્કી કર્યું છે. આમ પટ્ટાવાળાને નાબુદ કરવા માંગે છે. એક શાખામાંથી બીજી શાખામાં મોટી સંખ્યામાં કેશ નાખવાનું કામ કરારી કર્મીઓ કરતા હોય છે જે જોખમી છે.

દેશભરના 2.75 લાખ કર્મીઓને કાયમી કરવામાં આવે. જેથી તા. 18 નવેમ્બરના રોજ એટલે કે આવતીકાલે સાંજે 5.30 વાગ્યે રાજકોટના જાહેર ક્ષેત્રની 12 બેંકના 2200 કર્મીઓ પોત-પોતાની બેંક બહાર પ્લે-કાર્ડ લઇ વિરોધ કરશે. જયારે 19મીએ રાજકોટ સહિત દેશભરની બેંકો બંધ રહેશે અને વિરોધ નોંધાવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow