5000 લોકો દોઢ મહિનાથી પાણીના ઓછા ફોર્સથી પરેશાન

5000 લોકો દોઢ મહિનાથી પાણીના ઓછા ફોર્સથી પરેશાન

રાજકોટના સંતકબીર રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટી, ચંપકનગરથી ગોવિંદબાગ શાકમાર્કેટ સુધી તેમજ સિલ્વર નેસ્ટ વિસ્તારમાં ફોર્સથી પાણી ન મળતા 5000 જેટલા લોકો પરેશાન છે. જેને લઈને આજે મહિલાઓ વિફરી હતી અને સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા દોઢ મહિનાથી પાણી ફોર્સથી ન આવતા ટેન્કર મંગાવવા પડે છે. ધારાસભ્ય ઉદય કાનગડને ફોન કરવામાં આવે તો તેઓ ફોન ઉપાડતા નથી. મત માંગવા હોય તો આવી જાય છે, પરંતુ અમારી સમસ્યા સાંભળવાનો સમય નથી. જેથી અમારી માગ છે કે, ફોર્સથી પાણી આપવામાં આવે અથવા તો ટેન્કરના પૈસા મળે.

રાજકોટની શક્તિ સોસાયટીમાં રહેતા મહિલા પ્રતીક્ષાબેને જણાવ્યું હતું કે, સંત કબીર રોડ ઉપર શક્તિ સોસાયટીમાં રહીએ છીએ અને અમે અમારા વિસ્તારના કોર્પોરેટર ભાવેશ દેથરીયાને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારે અહીં એક મહિનાથી DI પાઇપલાઇન આવી ગઈ છે, પરંતુ ફોર્સથી પાણી આવતું નથી. જેને કારણે પીવાનું પાણી માંડ ભરાય છે અને ઘર વપરાશમાં લેવા માટે પાણી મળતું નથી જેને કારણે ટેન્કરથી પાણી મંગાવવું પડે છે.

ધારાસભ્ય ઉદય કાનગડ પણ અમારો ફોન ઉપાડતા નથી આ વિસ્તારમાં દરરોજ ટેન્કરથી પાણી મંગાવવાને કારણે એક ટેન્કરના રૂ.500 તો પાણીની રિક્ષા મંગાવીએ તો રૂ.200 થાય છે. જોકે અમે મજૂર વર્ગ હોવાથી તે પૈસા અમને પોસાતા નથી. અમારી આ સમસ્યા બાબતે વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડને ફોન કરીએ છીએ, પરંતુ તેઓ અમારા ફોન ઉપાડતા નથી. જેથી અમારું એટલું જ કહેવું છે કે અમને ફોર્સથી પાણી પહોંચાડવામાં આવે અથવા તો પાણીના ટેન્કરના પૈસા આપવામાં આવે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે મત માંગવા હોય ત્યારે ભાજપના ધારાસભ્ય આવી જાય છે, પરંતુ અમારી સમસ્યા સાંભળતા નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow