રાજકોટ આવતી-જતી 5 ટ્રેન ડાઇવર્ટ રૂટ પરથી દોડશે

રાજકોટ આવતી-જતી 5 ટ્રેન ડાઇવર્ટ રૂટ પરથી દોડશે

પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેન આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો પૈકી 24મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25મીએ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નં.15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ અને 22મીએ કામાખ્યાથી ઉપડનારી ટ્રેન નં. 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.

23મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ અને 25મીએ બનારસથી ઉપડનારી ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા નાગદા-કોટા-બયાના-આગ્રાફોર્ટ-કાનપુરના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા નાગદા-સંત હિરદારામનગર-નિશાતપુરા-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર થઈને ચાલશે. રેલવે તંત્રએ મુસાફરોને ટ્રેનની કામગીરી સંબંધિત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવ્યું છે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow