ઉત્તર કોરિયાની રાજધાનીમાં 5 દિવસનું લોકડાઉન

ઉત્તર કોરિયાની રાજધાનીમાં 5 દિવસનું લોકડાઉન

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં પાંચ દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અહીંના લોકોમાં એક એવી બીમારી ફેલાઈ રહી છે, જેનાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દક્ષિણ કોરિયા સ્થિત એનકે ન્યુઝે એક સરકારી નોટિસનો હવાલો આપી આ વાતની જાણકારી આપી છે.

નોટિસમાં કોરોનાનો ઉલ્લેખ નથી
રિર્પોટ્સના જણાવ્યા અનુસાર, સરકારી નોટિસમાં કોરોના વાઇરસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમાં માત્ર શ્વાસ સંબંધિત બીમારીની જ વાત કરવામાં આવી છે. પ્યોંગયાંગના નાગરિકોને રવિવારના અંત સુધી તેમના ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તાનાશાહી સરકારે એક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ દિવસમાં ઘણી વખત તેમનું તાપમાન તપાસવું અને રેકોર્ડ કરવું.

એનકે ન્યુઝ અનુસાર, લોકડાઉનનો નિર્ણય આવતા પહેલા જ પ્યોંગયાંગના લોકો પોતાના ઘરમાં વસ્તુઓનો સ્ટોક રાખતા જોવા મળ્યા હતા. લોકડાઉન દેશના બીજા શહેરોમાં પણ લાગુ કરવામાં આવ્યો છે કે નહીં, આ વાતની કોઇ જાણકારી નથી. તાજેતરમાં, લૂનર ન્યુ યર નિમિત્તે, પ્યોંગયાંગથી આવેલી તસવીરોમાં, લોકો ડબલ ફેસ માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે.

ઉત્તર કોરિયામાં 2022માં રિર્પોટ થયો હતો કોરોના
ઉત્તર કોરિયાએ મહામારીની શરૂઆતથી જ દેશમાં કોરોના સંક્રમણને નકાર્યો હતો. જો કે, સત્તાવાર રીતે પ્રથમ કેસ અહીં 12 મે 2022ના રોજ નોંધાયો હતો. ત્યારથી જ એવા અહેવાલો આવ્યા હતા કે, સરકાર કોરોનાના આંકડા છુપાવી રહી છે. આ મામલે વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO)એ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow