43% MSMEનું માર્જીન વર્તમાન નાણાકિય વર્ષે કોવિડ-પૂર્વેના સ્તરે

43% MSMEનું માર્જીન વર્તમાન નાણાકિય વર્ષે કોવિડ-પૂર્વેના સ્તરે

દેશમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કોમોડિટીની ઉંચી કિંમતો તેમજ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે નાના ઉદ્યોગોમાંથી અડધા ઉદ્યોગો પોતાના માર્જીનને કોવિડ પૂર્વેના સ્તરે નોંધાવે તેવી શક્યતા ખૂબ જ ઓછી જણાઇ રહી છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં 43 ટકા જેટલી કંપનીઓ ઉચ્ચ કોમોડિટીની કિંમતો તેમજ પ્રતિકૂળ એક્સચેન્જ રેટના દબાણને કારણે માર્જીને કોવિડ પૂર્વેના સ્તરે પહોંચાડવા માટે અસમર્થ સાબિત થશે.

આ રિપોર્ટ 69 સેક્ટર્સ અને 147 ક્લસ્ટર્સ અથવા MSMEના બે-તૃતીયાંશ ક્લસ્ટર્સ પર આધારિત છે. જેમણે કુલ રૂ.56 લાખ કરોડની આવક નોંધાવી હતી, જે જીડીપીના 20-25 ટકાને દર્શાવે છે. એજન્સી ખાતેના ડાયરેક્ટર પુશન શર્માએ જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષે એકંદરે આવકની દૃષ્ટિએ MSME સેક્ટર કોવિડ પૂર્વેના સ્તરેથી 1.27 ગણું વધશે. જ્યારે તેનું ઑપરેટિંગ માર્જીન કોવિડ પૂર્વેના સ્તરે રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

ક્રૂડ ઓઇલ તેમજ દૂધની ઉંચી કિંમતોને કારણે કેમિકલ્સ, મિલ્ક એન્ડ ડેરી, પેકેજ્ડ ફૂડ્સ કોવિડ પૂર્વેના સ્તરે પહોંચે તેવી શક્યતા ઓછી છે. જ્યારે ફાર્મા અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં પણ રૂપિયાના અવમૂલ્યનને કારણે કેટલાક અંશે ઘટાડો જોવા મળશે. ડોલર સામે રૂપિયો ઘટીને 82.3 થયો છે ત્યારે એપ્રિલ-ઑક્ટોબર 2022 દરમિયાન ક્રૂડની કિંમતો પણ બેરલ દીઠ 104 ડોલરની આસપાસ જોવા મળી રહી છે. જે કોવિડ-પૂર્વેના સ્તરે બેરલ દીઠ 61 ડોલર હતી. આગામી સમયમાં વધુ અસરકર્તા રહેશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow