સમગ્ર એશિયામાં વિવિંગ સેક્ટરમાં તેજી દેશમાં 40 હજાર કરોડનું રોકાણ આવશે

સમગ્ર એશિયામાં વિવિંગ સેક્ટરમાં તેજી દેશમાં 40 હજાર કરોડનું રોકાણ આવશે

વર્ષ-2010 થી સમગ્ર એશિયામાં વિવિંગ સેકટરમાં રોકાણ વધ્યું છે. જેમાં વોટરજેટમાં 48 ટકા, રેપિયરમાં 31 ટકા તથા 21 ટકા એરજેટ લૂમ્સમાં રોકાણનો સમાવેશ થાય છે. માર્કેટમાં 10 હજાર કરોડના ફેબ્રિકસની તક ઉભી થઇ છે. વર્ષ 2010 માં ગ્લોબલી મેન મેઇડ ફેબ્રિકસ 41 ટકા હતું. તે હવે વધીને 48 ટકા થઇ ગયું છે. જ્યારે કોટન ઘટતું જાય છે. વિશ્વમાં એમએમએફનો શેર વધતો જાય છે.એમએમએફ બનાવવા માટે વોટરજેટ સૌથી સારી ટેકનોલોજી છે. આથી મશીન સિલેકટ કરતી વખતે ઉદ્યોગકારોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

કયા પ્રકારના ફેબ્રિકસ બનાવવાના છે ? તે નકકી કર્યા બાદ જ મશીન સિલેકટ કરવાની ઉદ્યોગકારોએ આવશ્યકતા છે. ભારતમાં હજી 4.૩પ લાખ હાઇસ્પીડ વિવિંગ મશીન જરૂરી છે. આગામી પાંચ વર્ષમાં 1.80 લાખ વોટરજેટ, 60 હજાર રેપિયર અને 6 હજાર એરજેટ મશીનની જરૂરિયાત છે. આથી આગામી દિવસોમાં વિવિંગ સેકટરમાં રૂપિયા 40 હજાર કરોડનું રોકાણ આવશે. પોલિએસ્ટર ટાફેટા ફેબ્રિકનો હવે ટેકિનકલ ટેકસટાઇલમાં ઉપયોગ કરવામાં આવે છે.

મિકેનિકલી સ્ટ્રેચ યાર્ન ફેબ્રિકસ ભારત માટે નવું છે,પણ વિશ્વમાં તેનો વપરાશ થાય છે. એનાથી ટુ વે સ્ટ્રેચેબલ ફેબ્રિક બને છે.કોવિડ પછી પોલિએસ્ટર બેડશિટની માગ વધી છે.નોંધનીય છે કે કાપડની નિકાસ વધારવા ભવિષ્યમાં ઉદ્યોગકારોને એન્વાયરમેન્ટ સોશિયલ ગવર્નન્સમાં જવું પડશે.આવનારો સમય વોટરજેટ, એરજેટ અને ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજીનો છે.ત્યારે ભારતે પાંચ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow