4 વ્યાજખોરની જમીન, મકાન, પ્લોટ પડાવ્યા બાદ વધુ નાણાં વસૂલવા ધમકી

4 વ્યાજખોરની જમીન, મકાન, પ્લોટ પડાવ્યા બાદ વધુ નાણાં વસૂલવા ધમકી

મોરબી રોડ પર આવેલા બેડી ગામની ખોડિયાર સોસાયટીમાં રહેતા વજસીભાઇ અરજણભાઇ બેરા નામના ખેડૂતે બેડીપરાના તેજા ધારા મકવાણા, સાતડા ગામના ગણેશ દેવ મેઘાણી, નવાગામના કિશોર અરજણ હાંડા, લાલા નારણ ફાંગલિયા સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખેડૂતની ફરિયાદ મુજબ, સાત વર્ષ પૂર્વે મોરબી રોડ પર હોટલ ચાલુ કરવી હોય તેજા મકવાણાનો સંપર્ક કર્યો હતો. અને તેની પાસેથી બે તબક્કે 5 અને સાત ટકાના વ્યાજે 35 તેમજ 25 લાખ લીધા હતા. તેજા મકવાણાને દર મહિને રૂ.1.75 લાખનું વ્યાજ ચૂકવતો હતો. દરમિયાન 2013માં પુત્રના લગ્ન માટે રૂપિયાની ફરી જરૂરિયાત પડતા વધુ એક વખત તેજા મકવાણાએ જમીનનો દસ્તાવેજ લઇ પોતાને 50 લાખ આપ્યા હતા. આ વખતે તેજા મકવાણાએ 9 ટકા લેખે રૂપિયા આપ્યા હતા. વ્યાજખોરને વ્યાજ સમયસર ચૂકવ્યા બાદ તેની પાસેથી જમીનના દસ્તાવેજ પરત માગ્યા હતા. ત્યારે તેને દસ્તાવેજના બદલે બેડી ગામના બે મકાન આપ્યા હતા. તેજા મકવાણાને તમામ રકમ ચૂકવી દેવા છતાં તે વધુ નાણાંની માગણી કરી મકાન, જમીનના કાગળો પરત આપતો ન હતો.

દરમિયાન ફરી હોટેલમાં રૂપિયાની જરૂર પડતા વ્યાજખોર લાલા ફાંગલિયા પાસેથી નવ ટકાના વ્યાજે દસ લાખ લીધા હતા. જેની સામે લાલાએ કાર પણ પડાવી લીધી હતી. હિસાબ મુજબ પોતાને 5 લાખ દેવાના થતા હોય કાર વેચીને પૈસા ચૂકવી આપ્યા હતા. નાણાં લેતી વખતે લાલાએ પ્લોટનું પણ લખાણ કરાવ્યું હોય તે પરત કરવાનું કહેતા તે ગોળગોળ વાતો કરતો રહેતો હતો. થોડા દિવસ પછી ફરી લાલાને વાત કરતા તેને તારે હજુ રૂ.12 લાખ આપવાના થાય છે. જો પૈસાન આપે તો હું પ્લોટ આપીશ નહિ, તારે થાય તે કરી લેજે, જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજેની ધમકી આપી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow