'350% ટેરિફની ધમકીથી ભારત-પાક યુદ્ધ અટક્યું

'350% ટેરિફની ધમકીથી ભારત-પાક યુદ્ધ અટક્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે 350% ટેરિફ લગાવવાની ધમકી આપીને ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું.

ટ્રમ્પે અમેરિકા-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં બુધવારે બોલતા કહ્યું, "મને સૌથી પહેલા પાકિસ્તાની PM શાહબાઝ શરીફનો ફોન આવ્યો હતો. તેમણે ફોન પર આભાર માન્યો અને જણાવ્યું કે મેં લાખો લોકોના જીવ બચાવ્યા છે."

આ પછી ટ્રમ્પે દાવો કર્યો કે તેમને વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો. મોદીએ કહ્યું, “અમે પૂરું કરી દીધું.” ટ્રમ્પે પૂછ્યું, “શું પૂરું કરી દીધું?” આના પર મોદીએ જણાવ્યું, “અમે યુદ્ધ નહીં કરીએ.”

ટ્રમ્પ આ દાવો 60થી વધુ વખત દોહરાવી ચૂક્યા છે કે, મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે જે તણાવ ઓછો થયો, તે તેમની દખલગીરીના કારણે થયો. જ્યારે ભારત સતત કહી રહ્યું છે કે સંઘર્ષ વિરામમાં કોઈ ત્રીજો દેશ સામેલ નહોતો અને સંઘર્ષ વિરામ ભારત અને પાકિસ્તાનની સીધી વાતચીત પછી થયો હતો.

ટ્રમ્પે અગાઉ 250% ટેરિફની જાહેરાત કરી હતી

આ પહેલા ટ્રમ્પે 29 ઓક્ટોબરે દક્ષિણ કોરિયામાં APEC CEO સમિટમાં ભારત-પાકિસ્તાન તણાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે જ્યારે બંને દેશો લડી રહ્યા હતા, ત્યારે તેમણે તેમને યુદ્ધ બંધ કરવા કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી હતી.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો પર 250% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. બે દિવસ પછી બંને પક્ષોએ ફોન કરીને યુદ્ધવિરામ પર સંમતિ દર્શાવી. ફોન પર વાતચીત દરમિયાન તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પણ પ્રશંસા કરી, જેમને તેમણે એક શક્તિશાળી યોદ્ધા ગણાવ્યા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow