કેન્સરના દર્દીના લાભાર્થે વિદેશથી રૂપિયાનું પાર્સલ આવ્યું છે કહી 35 હજાર પડાવી લીધા

કેન્સરના દર્દીના લાભાર્થે વિદેશથી રૂપિયાનું પાર્સલ આવ્યું છે કહી 35 હજાર પડાવી લીધા

છેતરપિંડી કરતા ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને ફસાવતા હોય છે. આવા જ વધુ એક કિસ્સામાં કેન્સર પીડિતોને ભારતમાં મદદ કરવા વિદેશથી મોટી રકમનું પાર્સલ મોકલ્યાનું કહી યુવક પાસેથી રૂ.35 હજાર ખંખેરી લીધા હતા.

જૂના મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતાં વિજય નાગદાનભાઇ કુંભારવાડિયા (ઉ.વ.34)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિલાશ તિવારી અને જિતેન્દ્રસિંઘના નામ આપ્યા હતા, વિજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં તેના વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો.

મેસેજ કરનારે પોતે કેન્સર પીડિત છે અને ભારતમાં રહેતા કેન્સર પીડિતોને આર્થિક મદદ કરવા ઇચ્છે છે તે માટે નામ સરનામું મોકલવાનું કહ્યું હતું અને બીજા દિવસે વીડિયો કોલ કર્યો હતો જેમાં ફોન કરનારે પોતના નાકમાં નળી પણ લગાવી હોય વિજય તેની જાળમાં ફસાઇ ગયો હતો.

થોડા દિવસ બાદ વિજયને ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી કસ્ટમ ઓફિસેથી બોલે છે અને રોકડ ભરેલું પાર્સલ આવ્યું છે તે છોડાવવા માટે રૂ.35 હજાર કસ્ટમ ડ્યૂટી ભરવાની છે, વિજયે કસ્ટમ ડ્યૂટીના રૂ.35 હજાર ભરતા અભિલાશ અને જિતેન્દ્રસિંઘના ખાતામાં રકમ જમા થઇ ગઇ હતી બાદમાં વધુ રૂ.1,23,900ની માંગ કરતાં વિજયને પોતાની સાથે છેતરપિંડી થઇ રહ્યાનું લાગતા તેણે રકમ મોકલી નહોતી, આ મામલે અંતે પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow