14 એસેટ મેનેજમેન્ટ કંપનીનાં 24 મ્યુચ્યુઅલ ફંડ ખતરામાં: આરબીઆઇ

14 એસેટ મેનેજમેન્ટ કંપનીનાં 24 મ્યુચ્યુઅલ ફંડ ખતરામાં: આરબીઆઇ

આરબીઆઈએ દેશના નાણાકીય ક્ષેત્રની વિસ્તૃત રિસ્ક પ્રોફાઈલ તૈયાર કરી છે. આરબીઆઈના આ ‘ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’માં કહેવાયું છે કે 14 એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)ના કુલ 24 મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઘણું વધી ગયું છે. તેમાં લોકોએ રૂ. 1.65 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

આ રિપોર્ટ પ્રમાણે વ્યાજદર વધવાથી નાણાકીય ક્ષેત્ર પર સીધી અસર પડે છે. દેશની કુલ 44 એએમસીમાંથી 43ના ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે. દેશમાં આવી કુલ 295 સ્કીમ છે, જેમાં રોકાણકારોના કુલ રૂ. 10.95 લાખ કરોડ જમા છે.

ત્રણ સરકારી વીમા કંપનીઓ પણ ‘લાલ નિશાન’ના દાયરામાં | દેશમાં વીમા ક્ષેત્રની કુલ ચાર સરકારી કંપની છે, જેમાંથી ત્રણને આરબીઆઈએ ‘લાલ નિશાન’ના દાયરામાં મૂકી છે. જોકે તેના નામ નથી જણાવાયા. સરકારી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો માર્ચ 2022માં 93 હતો, જે હવે 62 છે. બીજી તરફ, ખાનગી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 220થી વધીને 225 થઈ ગયો છે. આરોગ્ય વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 171થી વધીને 212 થઈ ગયો છે. આરબીઆઈનું આકલન છે કે ત્રણ સરકારી કંપનીઓ ચુકવણી વખતે સંકટમાં મુકાઈ શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow