21 મહિના ખાધાખોરાકી નહીં દેનાર પતિને 210 દિવસની સજા

21 મહિના ખાધાખોરાકી નહીં દેનાર પતિને 210 દિવસની સજા

પત્ની અને સંતાનોને ખાધાખોરાકીની રકમ નહીં ચૂકવનાર માવજીભાઇ રણછોડભાઇ ચૌહાણને અદાલતે 210 દિવસની સજાનો હુકમ કર્યો છે. હુકમની સાથે અદાલતે વોરંટ ઇશ્યુ કરી તાત્કાલિક ધરપકડ કરી જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે. પારડી ગામે રહેતા નિતાબેનને ભરણપોષણ ચૂકવવા અગાઉ અદાલતે આદેશ કર્યો હતો.

છતાં માવજીભાઈએ 21 મહિના સુધી ખાધાખોરાકીની રકમ પત્નીને ચૂકવી ન હતી. જેથી નીતાબેને ખાધાખોરાકીની ચડત રકમ મેળવવા ફરી કોર્ટમાં અરજી કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી ફેમીલી કોર્ટે સજા ફટકારતો હુકમ કર્યો છે.

હત્યા કેસમાં આરોપીઓના વચગાળાના જામીન રદ
હત્યા તેમજ હત્યાની કોશિશના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી ભનાભાઇ ઉર્ફે કાળુ રણછોડ તાવિયા અને તેના ભાઇ વાલજીએ કરેલી વચગાળાની જામીન અરજીને અદાલતે નામંજૂર કરી છે. વીંછિયાના પાટિયાળી ગામે 2017માં આરોપીઓએ તેના કૌટુંબિક ભાઇઓ પર કુહાડી, પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ઓઘાભાઇ જેનાભાઇ તાવિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજા થઇ હતી. આ ગુનામાં જેલમાં રહેલા બંને આરોપીએ ખેતીની કામગીરી કરવા 30 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. જે અદાલતે નામંજૂર કર્યા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow