મેહોણાવાળાના 21,138 કરોડ બેન્કોમાં પડ્યા છે

મેહોણાવાળાના 21,138 કરોડ બેન્કોમાં પડ્યા છે

મહેસાણા જિલ્લાવાસીઓ માસિક આવક સામે જીવનજરૂરી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ અને ક્ષમતા પ્રમાણે મોજ-શોખની સાથે સારી એવી બચત પણ કરે છે. જિલ્લામાં વિવિધ 36 બેંકોની 385 શાખાઓ છે, જેમાં 30 સપ્ટેમ્બરની સ્થિતિએ અધધધ રૂ.21,138.1 કરોડની રકમ જમા (ડિપોઝિટ) પડી છે. એમાંયે સૌથી વધુ જમા રકમમાં મહેસાણા તાલુકાની 121 શાખામાં રૂ.8095.85 કરોડ અને સૌથી ઓછા જોટાણા તાલુકાની 5 શાખામાં રૂ.146.14 કરોડ જમા પડ્યા છે.

જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કો-ઓ. બેંકની સૌથી વધુ 62 શાખા, બરોડા બેંકની 56, ગ્રામિણ બેંકની 48, એસબીઆઇની 34, એચડીએફસીની 20, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની 18, બેંક ઓફ ઇન્ડીયાની 17, પંજાબ નેશનલ બેંકની 14, એક્સિસ બેંકની 13 તેમજ બંધન બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અને યશ બેંકની 10-10 શાખાઓ છે. 22 બેંકોની 10 કરતાં ઓછી શાખા છે.

બેંક ડિપોઝિટમાં મહેસાણા પછી કડી, વિસનગર, વિજાપુર અને ઊંઝા 5મા ક્રમે જિલ્લામાં કુલ 385 બેંક શાખાઓ પૈકી જિલ્લા મથક મહેસાણા શહેર અને તાલુકામાં સૌથી વધુ એટલે કે ત્રીજા ભાગની 121 શાખાઓ આવેલી છે. આ શાખાઓના ખાતાઓમાં સૌથી વધુ રકમ ડિપોઝિટ થાય છે.

ત્યાર પછી રૂ.2000 કરોડથી વધુની ડિપોઝિટ ધરાવતાં તાલુકાઓમાં કડી બીજા, વિસનગર ત્રીજા, વિસનગર ચોથા ક્રમે છે. ગત 30 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાની શાખાઓમાં ડિપોઝિટની સ્થિતિમાં જીરૂના હબ ઊંઝા તાલુકાની બેંકોમાં કુલ રૂ.2355.43 કરોડ ડિપોઝિટ દર્શાવેલી છે. જિલ્લામાં ડિપોઝિટની દ્રષ્ટીએ ઊંઝા તાલુકો 5મા ક્રમે છે.

જિલ્લાની બેંકોમાં ડિપોઝિટ
તાલુકોશાખાજમા રકમ
મહેસાણા121રૂ.8095.85 કરોડ
કડી53રૂ.2889.89 કરોડ
વિસનગર45રૂ.2789.75 કરોડ
વિજાપુર55રૂ.2361.1 કરોડ
ઊંઝા46રૂ.2355.43 કરોડ
બહુચરાજી15રૂ.851.99 કરોડ
ખેરાલુ19રૂ.703.85 કરોડ
વડનગર18રૂ.655.86 કરોડ
સતલાસણા8રૂ.288.24 કરોડ
જોટાણા5રૂ.146.14 કરોડ

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow