2025માં ભારતીય વુમન્સ ટીમની વનડેમાં 65.22% જીત

2025માં ભારતીય વુમન્સ ટીમની વનડેમાં 65.22% જીત

વર્ષ 2025 ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ ગયું. હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત ICC મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીતીને દાયકાઓનો ઇંતજાર સમાપ્ત કર્યો. ફાઇનલ મુકાબલામાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને 2005 અને 2017ના ફાઇનલમાં મળેલી નિરાશાનો બદલો લીધો.

વર્ષ 2025માં ભારતનું વનડે પ્રદર્શન પણ શાનદાર રહ્યું. ટીમ ઇન્ડિયાએ કુલ 23 વનડે મેચ રમી, જેમાં 15માં જીત, 7માં હાર અને 1 મેચ અનિર્ણિત રહી. આ દરમિયાન ભારતની જીતની ટકાવારી 65.22 રહી, જે ટીમની સાતત્યતા અને મજબૂતી દર્શાવે છે.

ત્રણ સતત હાર પછી ઐતિહાસિક વાપસી વર્લ્ડ કપની વચ્ચે ભારતીય ટીમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ. સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ મેચ હાર્યા પછી ભારતને લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ન્યુઝીલેન્ડ સામે 53 રનની જીતે ટીમનું નસીબ બદલી નાખ્યું.

સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે 339 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જે પુરુષ કે મહિલામાં કોઈપણ વર્લ્ડ કપ નોકઆઉટ મુકાબલામાં અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ રહ્યો.

સ્મૃતિ મંધાનાનું રેકોર્ડબ્રેક વર્ષ વર્ષ 2025 સ્મૃતિ મંધાનાના કરિયરનું સૌથી યાદગાર વર્ષ સાબિત થયું. તેણે 23 વનડે મેચોમાં 1362 રન બનાવ્યા. આ દરમિયાન તેમની સરેરાશ 61.90 અને સ્ટ્રાઈક રેટ 109.92 રહ્યો. મંધાનાએ વર્ષમાં 5 સદી અને 5 અડધી સદી ફટકારી.

ઓસ્ટ્રેલિયા સામે માત્ર 50 બોલમાં સદી ફટકારીને તેણે ભારતીય ક્રિકેટનો સૌથી ઝડપી વનડે સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. વર્લ્ડ કપમાં તેમણે 9 મેચોમાં 434 રન બનાવ્યા અને ટૂર્નામેન્ટની બીજી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યાં.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow