20 વર્ષની ટીવી એક્ટ્રેસે મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર

20 વર્ષની ટીવી એક્ટ્રેસે મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર

ટીવી જગતને વધુ એક મોટા ચહેરાની ખોટ પડી છે. 20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે મેકરુપમાં ગળેફાંસો આપઘાત કરી લેતા શોક વ્યાપ્યો હતો.

આ ચોંકાવનારા સમાચાર આવતા જ તમામના હોશ ઉડી ગયા છે. 20 વર્ષની નાની ઉંમરે એવું તે વળી શું દુખ આવ્યું કે આમ અચાનક તુનીષાએ મોતને વ્હાલું કરી લીધું તે સવાલ લોકોના મનમાં ઘોળાઈ રહ્યો છે.

ટોઈલેટમાં ગળેફાંસો ખાધો
ટી બ્રેક દરમિયાન તુનિષા ટોયલેટમાં ગઇ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી જેથી સ્ટાફને શંકા પડી હતી અને તેથી દરવાજો તોડીને સ્ટાફ અંદર ઘુસ્યો હતો ત્યારે તેમના આઘાત વચ્ચે તનુષા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી.

આપઘાત પહેલા મેકઅપ રૂમનો વીડિયો શેર કર્યો
આપઘાત કરતા પહેલા તુનીષાએ મેકઅપ રૂમમાંથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે સેટ પર મેકઅપ કરતી અને ત્યાં હાજર લોકો સાથે વાત કરતી જોવા મળી હતી.

અલી બાબાઃ દસ્તાન-એ-કાબુલ સીરિયલનું શુટિંગ કરી રહી હતી
20 વર્ષીય તુનીષા તેની આગામી સીરિયલ અલી બાબા દસ્તાન-એ-કાબુલ'નું શૂટિંગ કરી રહી હતી અને આ દરમિયાન તેણે આપઘાત કર્યો હતો.

આ શોથી કરિયરની શરૂઆત કરી
તુનીષા શર્માએ પોતાના કરિયરની શરૂઆત ઐતિહાસિક શો ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપથી કરી હતી. આ સિવાય તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પૂચવાલા, શેર-એ-પંજાબ: મહારાજ રણજીત સિંહ, ઇન્ટરનેટ વાલા લવ અને ઇશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કામ કર્યું હતું.

ફિલ્મોમાં પણ કામ કર્યું હતું તુનીષાએ
તુનીષા શર્માએ માત્ર ટીવી શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. તેણે 'ફિતૂર', 'બાર બાર દેખો', 'કહાની 2: દુર્ગા રાની સિંહ' અને 'દબંગ 3' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 'ફિતૂર' અને 'બાર બાર દેખો'માં તુનીષાએ યુવાન કેટરિના કૈફનો રોલ કર્યો હતો. આ સિવાય તેણે સલમાન ખાન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ દબંગ 3માં કામ કર્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow