16 જાન્યુઆરી સુધી 2 ટ્રેન રદ, 8 આંશિક રદ

16 જાન્યુઆરી સુધી 2 ટ્રેન રદ, 8 આંશિક રદ

16 જાન્યુઆરી સુધી રેલવે વ્યવહાર ખોરવાશે, જેને કારણે 2 ટ્રેન રદ કરાઇ છે, અમુક મોડી પડશે. જ્યારે અમુક આંશિક રદ કરાઇ છે. વડોદરા-જામનગર ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી અને જામનગર-વડોદરા ઈન્ટરસિટી 6થી 16 જાન્યુઆરી સુધી રદ કરાઈ છે, જ્યારે 8 આંશિક રદ કરી છે અને 7 ટ્રેન માર્ગમાં 20 મિનિટ સુધી મોડી પડશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, જે 7 ટ્રેન મોડી થવાની છે તેમાં 5 અને 12 જાન્યુઆરીએ ઓખા-વારાણસી એક્સપ્રેસ ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને હાપા-મડગાંવ એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને જામનગર- તિરુનેલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.


રાજકોટ આવતી-જતી 7 ટ્રેન 20 મિનિટ સુધી મોડી પડશે

  • ભાવનગર-ઓખા એક્સપ્રેસ 4થી 14 જાન્યુઆરી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી જશે. સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ઓખા-ભાવનગર 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી ભાવનગર જશે. ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 4થી 14 જાન્યુઆરી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ જશે. હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે.
  • અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી જશે, સુરેન્દ્રનગર-વેરાવળ રદ રહેશે.
  • વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી અમદાવાદ જશે. વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 5, 7, 9, 12 અને 14 જાન્યુઆરી બાંદ્રાથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રદ રહેશે.
  • જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 6, 8, 10, 13 અને 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી બાંદ્રા જશે. જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow