અફઘાનિસ્તાનમાં ઠંડીથી 157 મોત

અફઘાનિસ્તાનમાં ઠંડીથી 157 મોત

અફઘાનિસ્તાનમાં 15 દિવસમાં તીવ્ર ઠંડીના કારણે 157 લોકોએ જીવ ગુમાવ્યા છે. 77 હજાર પશુઓનાં પણ મોત થયાં હતાં. અહીં તાપમાન માઈનસ 28 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર (UNOCHA) અનુસાર, દેશના 2 કરોડ 83 લાખ લોકોને એટલે કે લગભગ બે તૃતીયાંશ વસ્તીને જીવિત રહેવા માટે તાત્કાલિક મદદની જરૂર છે. ઠંડીના કારણે 10 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં 78 લોકોનાં મોત થયાં છે. છેલ્લા એક સપ્તાહમાં આ આંકડો બમણો થયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં છેલ્લાં 15 વર્ષમાં આટલી તીવ્ર ઠંડી પડી નથી. બરફના તોફાનના કારણે અહીં સ્થિતિ ગંભીર બની ગઈ છે. દેશના 34માંથી 8 પ્રાંતોમાં સ્થિતિ ગંભીર છે. આ 8 પ્રાંતોમાં ઠંડીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે.

તાલિબાન સત્તામાં આવતાંની સાથે જ અફઘાનિસ્તાનમાં આર્થિક અને માનવ અધિકારોનું સંકટ વધી રહ્યું છે. હાલમાં જ મહિલાઓને એનજીઓમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે હવામાનના પ્રકોપનો સામનો કરી રહેલા લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow