સાઉદીમાં 2 હજારની નોટ ના બદલાતાં શહેર-જિલ્લાના 15 યાત્રાળુઓ અટવાયાં

સાઉદીમાં 2 હજારની નોટ ના બદલાતાં શહેર-જિલ્લાના 15 યાત્રાળુઓ અટવાયાં

આરબીઆઈ દ્વારા રૂા.2 હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જ વડોદરાથી ઉમરા કરવા ગયેલા 15 જેટલા લોકો મુસીબતમાં મુકાયા છે. સાઉદીના એક્સચેન્જ સેન્ટરમાં વડોદરાના યાત્રાળુઓ રૂા.2 હજારની નોટ એક્સચેન્જ કરવા માટે પહોચતા ત્યાંના કર્મચારીઓએ આ નોટ ભારત સરકારે બંધ કરી દિધી હોવાથી અમે નહી લઈએ તેવો જવાબ આપતા પરિવારો અટવાયા હતાં.

વડોદરાના નવાયાર્ડ ડી-કેબીનમાં રહેતા ઈબ્રાહીમભાઈ રાઠોડ અને સાવલીના ગોઠડા ગામના સૈયદ વારીસઅલી કાસમઅલીએ જણાવ્યું હતું કે, તેઓ ઉમરા કરવા સાઉદી ગયા હતાં. જેમાં વારીસભાઈને ખર્ચ કરવા વધુ વિદેશી કરન્સીની જરૂર હોવાથી તેઓ નજીકના એક્સચેન્જ સેન્ટર પર પહોચ્યાં હતાં. તેઓ પોતાના ઘરેથી રૂા.2 હજારની 5થી 6 નોટ લઈ ગયા હતાં.

આ નોટ તેમને એક્ષચેન્જ સેન્ટર પર આપતા થોડી વારમાં કર્મચારીએ આ નોટ ભારતમાં બંધ થઈ હોવાથી તેઓ નહી લઈ શકે તેમ જણાવી પરત આપી હતી. જેને કારણે તેઓ અસમંજસમા મુકાઈ ગયા હતાં. જોકે તેમને પોતાના સગાવહાલાઓની મદદ લઈને પોતાના ખર્ચ માટે વિદેશી કરન્સી મેળવવી હતી તેનું આયોજન કરી લીધું હતું.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow