રાજકોટ યાર્ડમાં લાલ મરચાંની 14 હજાર ભારીની આવક થઈ

રાજકોટ યાર્ડમાં લાલ મરચાંની 14 હજાર ભારીની આવક થઈ

રાજકોટ યાર્ડમાં ગુરુવારે 14 હજાર ભારી લાલ મરચાંની આવક થઈ હતી. શુક્રવારે હરાજી બોલાઈ હતી. હરાજીમાં રૂ. 1800થી 3600 સુધીનો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઈને આવ્યા હતા. તેમજ ખરીદદારો પણ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. તેમજ મગફળી, કપાસ, શીંગફાડા, સિંગદાણાની આવક આજે શનિવારે સવારે 8 કલાક સુધી જ આવવા દેવામાં આવશે. ત્યારબાદ બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બીજી આવક બંધ રાખવામાં આવશે.

ભરવાડ સમાજના સમૂહલગ્નમાં મજૂર ભાઈઓ જવાના હોવાથી હરાજી તેમજ આવક પ્રભાવિત થશે. સોમવાર તથા મંગળવારે મગફળી, કપાસ, શીંગફાડા અને સિંગદાણાની હરાજીનું કામ બંધ રહેશે. ભરવાડ સમાજના સમૂહલગ્ન હોવાથી 31 જાન્યુઆરીના રોજ મંગળવારે સવારે 8 કલાકે મગફળી, કપાસ, શીંગફાડા, સિંગદાણા આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow