130 રશિયન ટેન્ક નષ્ટ, માત્ર 14 દિવસમાં 5000 જવાનોનાં મોત

130 રશિયન ટેન્ક નષ્ટ, માત્ર 14 દિવસમાં 5000 જવાનોનાં મોત

યુક્રેન પર રશિયાએ મિસાઇલો મારફતે હુમલા તીવ્ર કરી દીધા છે. તેના તરફથી ઝીંકવામાં આવેલી મિસાઇલથી દક્ષિણ-પૂર્વ યુક્રેનના જેપોરિજીયા શહેરમાં પાંચ માળની રહેણાક ઇમારત ધરાશાયી થઇ છે. ત્રણ લોકોનાં મોત પણ થયાં છે. દરમિયાન અહેવાલ મુજબ હાલમાં યુદ્ધનો સૌથી ભીષણ તબક્કો ચાલી રહ્યો છે. યુક્રેનની સેનાએ અમેરિકાની એમ 777 અને ફ્રાન્સની સેસર હોવિત્ઝર તોપ મારફતે ડોનેત્સ્કના વુહલેદારમાં હુમલાઓ કરીને રશિયાની 130 ટેન્કોને ફૂંકી મારી છે. સાથે સાથે અનેક હથિયારો સાથે સજ્જ વાહનોને પણ નષ્ટ કરી દીધાં છે.

યુક્રેની અધિકારીઓએ કહ્યું છે કે આ યુદ્ધમાં હજુ સુધીનો સૌથી ભીષણ યુદ્ધનો તબક્કો છે. હાલમાં સૌથી મોટું ટેન્કયુદ્ધ ચાલી રહ્યું છે. અધિકારીએ દાવો કરતા કહ્યું છે કે રશિયન જવાનોનો નૈતિક જુસ્સો ભાંગી પડ્યો છે. આ બાબતનો અંદાજ એ બાબતથી મળી શકે છે કે બે સપ્તાહના ગાળામાં રશિયાની સેનાના 5000 જવાનો માર્યા ગયા છે.

13 મહિનામાં પ્રથમ વખત રશિયા, અમેરિકન વિદેશમંત્રી મળ્યા
રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે ગુરુવારે નવી દિલ્હીમાં જી-20 વિદેશમંત્રીઓની બેઠકના ભાગરૂપે અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કેન સાથે હાથ મિલાવ્યા હતા. યુદ્ધ શરૂ થયાના એક વર્ષથી વધુ સમયગાળા બાદ બંને વિદેશમંત્રીઓની આ પ્રથમ મુલાકાત હતી. ખાસ બાબત એ છે કે બંને નેતાઓ વચ્ચે પહેલાથી આ બેઠક નિર્ધારિત ન હતી. જોકે રશિયાએ દાવો કર્યો છે કે આ બેઠકનું કોઇ પરિણામ મળ્યું નથી.

અમેરિકન, બ્રિટિશ કંપનીઓ રશિયાને છોડવા તૈયાર નથી
કેટલીક પશ્ચિમ કંપનીઓ રશિયાને છોડી ચૂકી છે. બીજી બાજુ યુરોપ અને અમેરિકાની સેંકડો કંપનીઓ રશિયાને છોડવા માટે તૈયાર નથી. આમાં ફ્રાન્સની સુપર માર્કેટ કંપની આચેન પણ છે.આચેનની સહાયકે રશિયાના જવાનો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. એક અભ્યાસ મુજબ યુરોપ, અમેરિકા, જાપાન, બ્રિટન અને કેનેડાની આશરે 1400 કંપનીઓ પૈકી નવ ટકા કંપનીઓએ જ યુદ્ધ બાદ રશિયામાં કારોબાર બંધ કર્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow