વીમા કંપનીઓના 12000 કરોડનાં ટ્રાન્ઝેક્શન ઇન્કમટેક્સની તપાસ હેઠળ, આકરા દંડની વકી

વીમા કંપનીઓના 12000 કરોડનાં ટ્રાન્ઝેક્શન ઇન્કમટેક્સની તપાસ હેઠળ, આકરા દંડની વકી

વીમા કંપનીઓના 12,000 કરોડના ટ્રાન્ઝેક્શન આવકવેરા વિભાગના સ્કેનર હેઠળ છે. ટેક્સ અધિકારીઓ આ વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને ઉચ્ચ કમિશન ચૂકવવામાં ટેક્સચોરીના આરોપોની તપાસ કરી રહ્યા છે. તેવું આ બાબતો સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોએ માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર વીમા કંપનીઓએ એજન્ટોને શેલ કંપનીઓ દ્વારા પેમેન્ટ કર્યું છે.

તેઓએ આ કંપનીઓનો ઉપયોગ તેમના એજન્ટોને વીમા નિયમનકાર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ કમિશન ચૂકવવા માટે કર્યો હતો. પછી અન્ય હેડમાં આ પેમેન્ટ બતાવીને ટેક્સની રકમ ઘટાડી દેવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) આ કંપનીઓ દ્વારા શેલ કંપનીઓની રચનાની તપાસ કરી રહી છે. ગયા વર્ષે GST અધિકારીઓએ વીમા નિયમનકારને 12થી વધુ વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને કમિશનની ચુકવણીમાં અનિયમિતતાની જાણ કરી હતી. ત્યારબાદ નવેમ્બરમાં આવકવેરા વિભાગે સંબંધિત વીમા એજન્ટોની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. કેસની તપાસ સાથે જોડાયેલા અન્ય એક અધિકારીએ દાવો કર્યો કે,આ શેલ કંપનીઓની તપાસ કરવામાં આવી છે.

આમાંના કેટલાક કિસ્સાઓમાં તેઓએ સ્વીકાર્યું છે કે તેઓએ વીમા કંપનીઓને કોઈ જાહેરાત અથવા પ્રમોશનલ સર્વિસ પૂરી પાડી નથી. આ ખર્ચાઓની ચકાસણી કરતાં આ બોગસ ખર્ચ હોવાનું બહાર આવ્યું હતું. આ નિવેદનો ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. તે જ સમયે વીમા કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ અધિકારીઓ માર્કેટિંગ-સેલ્સ સંબંધિત ખર્ચને સેવાઓ પર કમિશન તરીકે ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને તેના પર ટેક્સની માંગણી કરી રહ્યા છે.

કોરોના મહામારી બાદ આ સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો હતો એટલું જ નહીં કોરોના બાદ મોટાભાગની કંપનીઓ દ્વારા પ્રિમિયમમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે પણ કમિશનની આવક વધી હોવાનું અનુમાન છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow