વીમા કંપનીઓના 12000 કરોડનાં ટ્રાન્ઝેક્શન ઇન્કમટેક્સની તપાસ હેઠળ, આકરા દંડની વકી

વીમા કંપનીઓના 12000 કરોડનાં ટ્રાન્ઝેક્શન ઇન્કમટેક્સની તપાસ હેઠળ, આકરા દંડની વકી

વીમા કંપનીઓના 12,000 કરોડના ટ્રાન્ઝેક્શન આવકવેરા વિભાગના સ્કેનર હેઠળ છે. ટેક્સ અધિકારીઓ આ વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને ઉચ્ચ કમિશન ચૂકવવામાં ટેક્સચોરીના આરોપોની તપાસ કરી રહ્યા છે. તેવું આ બાબતો સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોએ માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર વીમા કંપનીઓએ એજન્ટોને શેલ કંપનીઓ દ્વારા પેમેન્ટ કર્યું છે.

તેઓએ આ કંપનીઓનો ઉપયોગ તેમના એજન્ટોને વીમા નિયમનકાર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ કમિશન ચૂકવવા માટે કર્યો હતો. પછી અન્ય હેડમાં આ પેમેન્ટ બતાવીને ટેક્સની રકમ ઘટાડી દેવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) આ કંપનીઓ દ્વારા શેલ કંપનીઓની રચનાની તપાસ કરી રહી છે. ગયા વર્ષે GST અધિકારીઓએ વીમા નિયમનકારને 12થી વધુ વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને કમિશનની ચુકવણીમાં અનિયમિતતાની જાણ કરી હતી. ત્યારબાદ નવેમ્બરમાં આવકવેરા વિભાગે સંબંધિત વીમા એજન્ટોની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. કેસની તપાસ સાથે જોડાયેલા અન્ય એક અધિકારીએ દાવો કર્યો કે,આ શેલ કંપનીઓની તપાસ કરવામાં આવી છે.

આમાંના કેટલાક કિસ્સાઓમાં તેઓએ સ્વીકાર્યું છે કે તેઓએ વીમા કંપનીઓને કોઈ જાહેરાત અથવા પ્રમોશનલ સર્વિસ પૂરી પાડી નથી. આ ખર્ચાઓની ચકાસણી કરતાં આ બોગસ ખર્ચ હોવાનું બહાર આવ્યું હતું. આ નિવેદનો ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. તે જ સમયે વીમા કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ અધિકારીઓ માર્કેટિંગ-સેલ્સ સંબંધિત ખર્ચને સેવાઓ પર કમિશન તરીકે ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને તેના પર ટેક્સની માંગણી કરી રહ્યા છે.

કોરોના મહામારી બાદ આ સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો હતો એટલું જ નહીં કોરોના બાદ મોટાભાગની કંપનીઓ દ્વારા પ્રિમિયમમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે પણ કમિશનની આવક વધી હોવાનું અનુમાન છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow