ગોંડલનાં પાંચતલાવડાની પ્રસુતા માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ

ગોંડલનાં પાંચતલાવડાની પ્રસુતા માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ

ગોંડલનાં પાંચતલાવડા ગામની એક પ્રસુતા માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ છે. 108ના જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકાના પાંચતલાવડા ગામમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગુડીબેન કાળુભાઈ શિંગાડીયાને પ્રસુતિની પીડા ઉપડતા 108ને કોલ કરી બોલાવી હતી. કોલ આવ્યાની થોડી જ ક્ષણોમાં 108ની ટીમ ઈએમટી કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈ ગઢવી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બે જિંદગીનો આબાદ બચાવ
ગોંડલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ડિલિવરી કરાવવી જરૂરી હોવાથી આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ ઈ.આર.સી.પી. ડો.અંજલિની ઓનલાઈન મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. વધુ સારવાર અર્થે મહિલાને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. 108ના આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરીને બે જિંદગીનો આબાદ બચાવ કર્યો હતો.

108 એમ્બ્યુલન્સ અનેક લોકો માટે દેવદૂત
રાજ્યમાં કોઈ પણ જગ્યાએ આરોગ્યલક્ષી કોઈપણ ઈમરજન્સી સેવાની જરૂર પડે તો 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 24x7 દિવસ લોકોની મદદે આવવા તૈયાર રહે છે. 108 એમ્બ્યુલન્સ અનેક લોકો માટે દેવદૂત સાબિત થઈ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow