સ્પીપામાં પરીક્ષાની ફી 1000 કરાતા PM સુધી રજૂઆત

સ્પીપામાં પરીક્ષાની ફી 1000 કરાતા PM સુધી રજૂઆત

યુપીએસસી દ્વારા લેવામાં આવતી વિવિધ પ્રકારની સનદીસેવાઓની ભરતી માટે લેવામાં આવતી પરીક્ષા માટે સ્પીપા તાલીમ વર્ગો ચલાવે છે. જેમાં સ્પીપાના તાલીમ વર્ગમાં જોડાયેલા વિદ્યાર્થીઓની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને માટેની પરીક્ષા નિ:શુલ્ક લેવાતી હતી.

આ પરીક્ષા માટેની ફી રૂ. 1000 કરવાનો નિર્ણય કરાતા તેની સામે શહેરના વાસણા વિસ્તારના સામાજિક અગ્રણી જયદીપ સિંહ વાઘેલાએ પીએમ અને સીએમ કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ નિર્ણયને સ્થગિત કરવાની પણ માગણી કરી દીધી છે.

જયદીપ સિંહ વાઘેલાએ કહ્યું છે કે,‘સ્પીપા દ્વારા યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતો હોય ભલે પછી તે સ્પીપાના વિદ્યાર્થીઓ હોય કે ના હોય તે આ પરીક્ષા કોઈ પણ ફીની ચૂકવણી વિના આપી શકતો હતો.

જેનો સીધો જ લાભ સ્પીપામાં પ્રવેશ ન મેળવી શકેલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળતો હતો. જો કે હવે આ પરીક્ષા માટે રૂ. 1000ની ફી લેવાનું નક્કી કરાતા વિદ્યાર્થીઓના માથે આર્થિક બોજો પડશે. તેથી આ અંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે. સરકારે ગુજરાતના કોઈ પણ આર્થિક બેક ગ્રાઉન્ડમાંથી આવતો વિદ્યાર્થી યુપીએસસીમાં આગળ આવે તે માટે આ નિર્ણય સ્થગિત કરવો જોઈએ.’

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow