લગ્નની લાલચ આપી તરુણી પર દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા

લગ્નની લાલચ આપી તરુણી પર દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા

લગ્નની લાલચે આઠ વર્ષ પૂર્વે અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઇ તરુણી પર દુષ્કર્મ આચરનાર નયન નામના આરોપી સામે કેસ ચાલી જતા ખાસ અદાલતે આઇપીસીની કલમ 363 હેઠળ 4, કલમ 366 હેઠળ 5 અને પોક્સોની કલમ હેઠળ 10 વર્ષની સખત અને 90 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીને ભોગ બનનારને રૂ.1 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

ઇમિટેશનના વેપારીની 16 વર્ષની પુત્રીને આરોપી નયન લગ્નની લાલચ આપી 2015માં અપહરણ કરી ગયો હતો. અપહરણ કરી તરુણીને શહેરના આજી ડેમ વિસ્તારમાં તેમજ વડોદરા શહેર લઇ જઇ અનેક વખત બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવની ભક્તિનગર પોલીસમાં અપહરણ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદને પગલે આરોપી નયન પોલીસ ધરપકડથી બચવા માટે નાસી ગયો હતો. પોલીસે આરોપી સામે ખાસ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા કેસ અન્ડર ટ્રાયલ હતો. તે દરમિયાન બનાવ બાદ નાસતો ફરતા આરોપી નયન વિરુદ્ધ ખાસ અદાલતે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. વોરંટ ઇશ્યૂ થયા બાદ પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી નયન પોલીસ સકંજામાં સપડાઇ જતા તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. બીજી તરફ ખાસ અદાલતમાં ચાલી રહેલા કેસમાં સરકારી વકીલ મહેશભાઇ એસ. જોશીએ કેસને મજબૂત કરવા તરુણી, તરુણીના પિતા, તપાસનીશ અધિકારીની જુબાની લીધી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow